________________
૪૩૯
૬. મતિજ્ઞાનના બીજા નામો
મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિબોધ ઇત્યાદી અન્ય પદાર્થ નથી અર્થાત્ તે મતિજ્ઞાનના નામાંતર છે. ૧. મતિ મન અગર ઇન્દ્રિયોથી વર્તમાનકાળવર્તી પદાર્થને અવગ્રહાદિરૂપ સાક્ષાત જાણવો તે મતિ છે. ૨. સ્મૃતિ: પહેલાં જાણેલા, સાંભળેલા કે અનુભવ કરેલા પદાર્થનું વર્તમાનમાં સ્મરણ આવે તે સ્મૃતિ
૩. સંજ્ઞા તેનું બીજું નામ પ્રત્યાભિજ્ઞાન છે. વર્તમાનમાં કોઈ પદાર્થને જોતાં આ પદાર્થ એ જ છે કે જેને
પહેલાં જોયો હતો’ એ રીતે સ્મરણ અને જોડરૂપ જ્ઞાનને સંજ્ઞા કહે છે. ૪. ચિતઃ ચિંતવન જ્ઞાન અર્થાત્ કોઈ ચિહ્નને દેખીને અહીં તે ચિહ્નવાળો જરૂર હોવો જોઈએ એવો
વિચાર તે ચિંતા છે. આ જ્ઞાનને ઊહ, ઊહા, તર્ક અથવા વ્યાતિજ્ઞાન પણ કહે છે. ૫. અભિનિબોધ સ્વાર્થનુમાન-અનુમાન એ તેના બીજા નામ છે. સન્મુખ ચિહ્નાદિ દેખી તે ચિહ્નવાળા
પદાર્થનો નિર્ણય કરવો તે અભિનિબોધ છે. ૬. સ્વસંવેદનઃ સુખાદિ અંતરંગ વિષયોનું જ્ઞાન તે સ્વસંવેદન છે. ૭. બુદ્ધિઃ બોધનમાત્રપણું તે બુદ્ધિ છે, બુદ્ધિ, પ્રતિભા, પ્રજ્ઞા એ મતિજ્ઞાનની તારતમ્યતા (હીન
અધિકપણું) સૂચક જ્ઞાનના ભેદો છે. ૮. અનુમાન બે પ્રકારના છે. એક મતિજ્ઞાનનો ભેદ છે, બીજો શ્રુતજ્ઞાનનો ભેદ છે. સાધન દેખતાં
પોતાથી સાધ્યનું જ્ઞાન થવું તે મતિજ્ઞાન છે. બીજાના હેતુ અને તર્કના વાક્ય સાંભળીને જે અનુમાન
થાય તે મૃતઅનુમાન છે. ૯. જેણે આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કર્યું ન હોય તે આત્માનું સ્મરણ કરી શકે નહિ, કેમ કે સ્મૃતિ તો
પૂર્વે અનુભવેલાં પદાર્થની જ હોય છે તેથી અજ્ઞાનીને પ્રભુસ્મરણ (આત્માનું સ્મરણ) હોતું જ નથી, પરંતુ રાગ મારો એવી પકડનું સ્મરણ હોય છે કેમ કે તેને તેનો અનુભવ છે. તેનું જ્ઞાન મિથ્યા
હોવાથી તેને ધર્મનું સ્મરણ થતું નથી. ૭. શ્રુતજ્ઞાન : ૧. શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક હોય છે. અર્થાત્ મતિજ્ઞાન પછી થાય છે; મતિજ્ઞાનર્થી ગ્રહણ કરવામાં
આવેલા પદાર્થથી, તેનાથી જુદા પદાર્થને ગ્રહણ કરનારું જ્ઞાન શ્રુતજ્ઞાન છે. ૨. શ્રતનો અર્થ “સાંભળેલો વિષય” અથવા “શબ્દ” એવો થાય છે. જો કે શ્રુતજ્ઞાન માતજ્ઞાન પછી થઈ
શકે છે. તો પણ વર્ણવવા લાયક તથા શિક્ષા યોગ્ય સર્વ વિષયો તેમાં આવે છે, અને તે સાંભળીને જાણી શકાય છે. એ રીતે “શ્રુતજ્ઞાન” શ્રુતનો (શબ્દનો) સંબંધ મુખ્યતાથી છે; તે કારણે શ્રુતજ્ઞાનને શાસ્ત્રજ્ઞાન (ભાવ શાસ્ત્રજ્ઞાન) પણ કહેવામાં આવે છે.