________________
૪૩૩
નાશ થયો છે ને અપૂર્વ સમ્યજ્ઞાન પ્રકાશ ખીલી ગયો છે એમ હું મારા સ્વસંવેદનથી નિઃશંકપણે જાણું છું. મારા આત્મામાં શાંત રસ ઉલ્લસી રહ્યો છે. અનંત ભવ હોવાની શંકા નિર્મૂળ થઈ ગઈ છે ને ચૈતન્યના આનંદના અનુભવ સહિત મહાન પ્રકાશ પ્રગટી ગયો છે.
મારું શુદ્ધ સ્વરૂપ જેવું સમજ્યો તેવું જ સર્વજ્ઞ પરમાત્માએ અને શ્રીગુરુએ મને કહ્યું હતું; આ રીતે દેવ-ગુરૂ-શાસ્ત્રોએ શું સ્વરૂપ સમજાવ્યું તેનો પણ યથાર્થ નિર્ણય થયો. આમાં તે પવિત્ર આત્મા ગુરુના ઉપકારને ભૂલતો નથી.