SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ મારો આરમ છે, મારા આનંદનું ધામ છે. આત્માના શ્રદ્ધા-જ્ઞાન-આચરણ કરીને હું સમ્યક પ્રકારે આત્મારામ થયો છું. હું મારા અનુભવથી પ્રત્યક્ષ જણાઉંએવો ચૈતન્યમાત્રજ્યોતિ આત્મા છું. રાગથી ઇન્દ્રિયોથી મારું સ્વસંવેદન થતું નથી. ચૈતન્યમાત્ર સ્વસંવેદનથી જ હું પ્રત્યક્ષ થાઉં છું. મારા મતિ-શ્રુતજ્ઞાનને અંતરમાં એકાગ્ર કરીને હું મારું સ્વસંવેદન પ્રત્યક્ષ કરું છું. અંતર્મુખ અનુભવથી જે પ્રત્યક્ષ થયો તે જહું . સ્વસંવેદનમાં ચૈતન્યમારા આત્મા પ્રત્યક્ષ થયો તે જ હું છું. “હું એક છું': ચિન્માત્ર આકાશને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તતા વ્યવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી, માટે હું એક છું. જ્ઞાનની જ અખંડમૂર્તિ હું એક છું. મારા અનુભવમાં તો જ્ઞાયક એકાકાર રવભાવ જ આવે છે માટે હું એક છું. મારા આત્માને હું એકપણે જ અનુભવું છું, ખંડખંડ ભેદરૂપ નથી અનુભવતો. મારા આત્માને જ્ઞાયકસ્વરૂપે જ દેખું છું. “હું શુદ્ધ છું': નર-નારકાદિ જીવના વિશેષો, તેમજ અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા અને મોક્ષર વરૂપ જે વ્યવહાર નવ તત્ત્વો છે તેમનાથી અત્યંત જુદો ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવરૂપ ભાવ છું, તેથી હું શુદ્ધ છું. નવ તત્ત્વોના વિકલ્પોથી હું પાર છું, પર્યાયમાં હું શુદ્ધ જ્ઞાયક સ્વભાવ સ્વરૂપે પરિણમ્યો છું, માટે હું શુદ્ધ છું. શુદ્ધ જ્ઞાયક ભાવમાત્ર મારા આત્માને હું શુદ્ધપણે અનુભવું છું. નવ તત્ત્વોના ૨ ગમિશ્રિત વિકલ્પથી હું અત્યંત જુદો થઈ ગયો છું, નિર્વિકલ્પ થઈને અંતરમાં આનંદ સ્વરૂપ આત્માને એકને જ હું અનુભવું છું માટે હું શુદ્ધ છું. મારા વેદનમાં શુદ્ધ આત્મા જ છે. “હુર્શન-જ્ઞાનમય છું' : હું ચૈતન્યમાત્ર હોવાથી સામાન્ય-વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી તેથી દર્શન-જ્ઞાનમય છું. હું મારા આત્માને દર્શન-જ્ઞાનઉપયોગરૂપ જ અનુભવું છું. હું સદાય અરૂપી છું’ સ્પર્શ-રસ-ગંધ-વર્ણ જેનું નિમિત્ત છે એવા જ્ઞાનરૂપે પરિણમ્યો હોવા છતાં પણ તે સ્પર્શારિરૂપી પદાર્થોરૂપે હું પરિણમ્યો નથી માટે હું સદા અરૂપી છું. રૂપી પદાર્થોને જાણવા છતાં હું રૂપી સાથે તન્મય થતો નથી, હું તો જ્ઞાન સાથે જ તન્મય છું, માટે હું અરૂપી છું. રૂપી પદાર્થો મારાપણે મને નથી અનુભવાતા, માટે હું અરૂપી છું. આમ સર્વથી જુદા, એક, શુદ્ધ, જ્ઞાન-દર્શનમય, સદા અરૂપી આત્માને હું અનુભવું છું. અને આવા મારા સ્વરૂપને અનુભવતો હું પ્રતાપવંત વર્તુ છું. સ્વસંવેદન પ્રત્યક્ષ આત્માના અનુભવથી પ્રતાપવંત વર્તતા એવા મને, મારાથી બાહ્ય વર્તતા સમસ્ત પદાર્થોમાં કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી. મારાથી બહાર જીવ અને અજીવ, સિદ્ધ અને સાધક એવા અનંત પરદ્રવ્યો પોતપોતાની સ્વરૂપ સંપદા સહિત વર્તે છે તો પણ સ્વસંવેદનથી પ્રતાપવંત વર્તતા એવા મને તે કોઈ પરદ્રવ્ય જરાય મારાપણે ભાસતું નથી; મારું શુદ્ધ તત્ત્વ પરિપૂર્ણ છે તે જ મને મારાપણે અનુભવાય છે. મારી પૂર્ણતામાં પરદ્રવ્યોનો એક રજકણ માત્ર મને મારાપણે ભાસતો નથી કે જે મારી સાથે (ભાવકપણે કે શેયપણે) એક થઈને મોહ ઉત્પન્ન કરે. મારા આત્મામાંથી મોહનો
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy