SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૭ સંબંધી ઘણી બધી ક્રિયાઓ વ્યવહારમાં જોવામાં આવે તો પણ તેનો નિષેધ કરવામાં આવ્યો છે. નિશ્ચયથી તો એક ત્રિકાળ ભગવાન આત્મા જ જાણવા જેવો છે. ૧૭) પ્રથમ ભૂમિકામાં સાધન - અવલંબન તરીકે સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર જ હોય છે. અરિહંત અને સિદ્ધ જ સાચા દેવ છે. તેમનું યથાર્થ સ્વરૂપ જાણી તેમની શ્રદ્ધા કરવા જેવી છે. ૧૮) ભાવલિંગી નગ્ન દિગંબર મુનિ -આત્મજ્ઞાન સહિત એ જ મોક્ષમાર્ગની પ્રયોજનની સિદ્ધિ માટે સાચા માર્ગદર્શક છે. તેમની શ્રદ્ધા કરવા જેવી છે. ૧૯) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ ધર્મ જ સાચો ધર્મ છે અને વીતરાગતાની પ્રરૂપણા કરે એ જ શાસ્ત્રો સાચા પરમાગમ છે. તે સિવાય બીજું કોઈ પણ અવલંબન કાર્યકારી નથી. નિશ્ચયથી પોતાના આત્માનું અવલંબન લેવા જેવું છે. “સહજ આત્મસ્વરૂપ સર્વશદેવ પરમ ગુરુ” ૨૦) મોક્ષરૂપી પ્રયોજનની સિદ્ધિ થશે ત્યારે પાંચ સમવાય સાથે જ હોય છે. (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) નિમિત્ત (૪) કાળલબ્ધિ (૫) પુરુષાર્થ. મોક્ષમાર્ગના પ્રયોજનમાં સમ્યક પુરુષાર્થની જ મુખ્યતા છે. “જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ.” બીજું બધું કાર્ય એટલે છ દ્રવ્યો સ્વયં સંચાલિત અનાદિ નિધન વિશ્વ વ્યવસ્થા અને વસ્તુ વ્યવસ્થા પ્રમાણે સ્વતંત્ર, ક્રમબદ્ધ અને ઉપાદાનની યોગ્યતા પ્રમાણે વ્યવસ્થિત નિરંતર પરિણમી જ રહ્યા છે. ત્યાં બીજું શું કરવાનું હોય? કાંઈ જ નહિ. જાણવું એ તારો સ્વભાવ છે. બસ ! આ છેલ્લી ભલી ભલામણ - જ્ઞાતા થઈ તારા સહજ નિજ સ્વભાવમાં પાછો આવી જા ! હે જીવ! હવે તને આના સિવાય બીજું કાંઈ કરવાનું નથી એવું જ્ઞાન અને શ્રદ્ધા કર. આ જ પૂર્ણ ધર્મનો સાર સંક્ષિપ્તમાં વીતરાગ પ્રભુએ કહ્યો છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy