________________
૩૫૦ જે છે તેની સેવના કરતાં એ ત્રણ પર્યાય ઉત્પન્ન થાય છે. એને ભેદથી સમજાવ્યું કે ત્રણની સેવા કરવી, એનાથી સિદ્ધિ છે, બીજી રીતે સિદ્ધિ નથી. અને એનો સરવાળો તો એ જ છે કે એકાકાર
આત્માની સેવા કરવી. ૩. દર્શન એટલે ત્રિકાળી શુદ્ધ સ્વભાવનું અવલોકન. એમાં શ્રદ્ધા અને દેખવું બન્ને ભાવ આવ્યા. જ્ઞાન
એટલે શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું. એમાં સ્વસંવેદન જ્ઞાનની વાત છે. સ્વ કહેતાં પોતાથી, સમ્ નામ પ્રત્યક્ષ વેદન. સ્વસંવેદન એટલે પોતાથી પોતાને પ્રત્યક્ષ વેદવું. એનું જ નામ સમ્યજ્ઞાન છે. ભગવાન આત્મા શુદ્ધ એક સ્વભાવી છે તેનું પર્યાયમાં સ્વસંવેદન એનું નામ સમ્યજ્ઞાન છે. ચારિત્ર એટલે જે વસ્તુ અખંડ અભેદ છે તેને દેખવી, જાણવી અને એમાં જ વિશ્રામ લેવો. શુદ્ધ સ્વભાવમાં, ધ્રુવ ધામમાં સ્થિરતા, વિશ્રામ-વિશ્રામ-વિશ્રામ તે ચારિત્ર છે. તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. ૪. આ જ મોક્ષમાર્ગ છે. ત્રિકાળી ભગવાન એકરૂપ સ્વભાવના દષ્ટિ, જ્ઞાન અને રમણતા તે એક જ
મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ બે નથી, મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે. આત્મા જ્ઞાયક સ્વભાવ એકરૂપ વસ્તુની સેવન કરવાથી જે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે તેને સત્ય-ભૂતાર્થ મોક્ષમાર્ગ કહ્યો છે. ત્રિકાળી આત્માની સેવા કરતાં પર્યાયમાં ત્રણ પ્રકાર પડે તેને વ્યવહાર કહે છે. જે ત્રિકળી ભગવાન આત્માની શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રની વીતરાગી પર્યાય એને આત્મવ્યવહાર કહીએ અને રાગાદિનો વ્યવહાર એ મનુષ્ય વ્યવહાર છે. દયા, દાન, વ્રત અને ભક્તિનો વિકલ્પ એ મનુષ્યનો માનસિક વ્યવહાર છે, એનાથી સંસાર થશે.
જે ભૂતાઈ વસ્તુ છે એના આશ્રયથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પર્યાય પરિણમે એને ભૂતાર્થ મોક્ષમાર્ગ કહે છે. તે સત્યાર્થ મોક્ષમાર્ગ પણ પર્યાય છે માટે વ્યવહાર છે. તે વાત વિશેષ સમજાવે છે -
૧) જ્યારે આત્માને અનુભવમાં આવતાં જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદજ્ઞાનમાં પ્રવીણતાથી ‘આ અનુભૂતિ છે તે જ હું છું એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું, આ આત્મા જેવો જાણ્યો તેવો જ છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું, શ્રદ્ધાનો ઉદય થાય છે. ત્યારે સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી નિઃશંક કરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉત્પત્તિ છે. ૨) પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વિશે પર (કાવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને આ અનુભૂતિ તે જ હું છું' એવું આત્મજ્ઞાનથી ઉદય થતું નથી અને તેના અભાવને લીધે, નહિ જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડા સમાન હોવાથી, શ્રદ્ધાન પણ ઉદય થતું નથી ત્યારે સમસ્ત અન્ય ભાવોના ભેદવડે આત્મામાં નિઃશંક કરવાના અસમર્થપણાને લીધે આત્માનું આચરણ
૧૫.