________________
૩૪૮ ૫) શાસ્ત્ર માં એમના ગુણોનું વર્ણન જુદી જુદી રીતે કરવામાં આવ્યું છે. છ ઢાળામાં પં. દૌલતરામે મંગળાચરણમાં કહ્યું છે - “તીન ભુવનમેં સાર, વીતરાગ વિજ્ઞાનતા, શિવસ્વરૂપ શિવકાર નમતું સહારીકે' - રાગ-દ્વેષ રહિત કેવળજ્ઞાન ત્રણ લોકમાં ઉત્તમ વસ્તુ, આનંદ સ્વરૂપ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે. તે વીતરાગ સ્વરૂપને હું મન, વચન, કાયાના ત્રણ યોગથી નમસ્કાર કરું છું. ૬) મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે –
“મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન, નમો તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન” ૭) “સકલ શેય જ્ઞાયક તદપિ, નિજાનંદ રસલીન; સો જિનેન્દ્ર જયવંત નિત, અરિરરહસ વિહીન.” અરિહંત પ્રભુ લોકાલોકને જાણતાં છતાં પોતાના નિજાનંદ સ્વભાવમાં લીન છે. જ્ઞાની સ્વને મુખ્ય
કરીને જાણે છે. ૫. સ્વણેય સંતોષ કરવા યોગ્ય કેમ અને કેવી રીતે?
૧) જગતના દ્રવ્ય માત્રની સ્વાભાવિક સ્થિતિ એવી છે કે પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના સ્વક્ષેત્રમાં રહીને જ એની પર્યાય સ્વદ્રવ્યમાં જ તન્મય થઈને પ્રવર્તન કરે. આત્મા પણ એક દ્રવ્ય છે તો એનું પણ એ પ્રમાણે છે. ૨) હવે બીજા અજીવ દ્રવ્યો એને ચેતન આત્મામાં એટલો જ ફરક છે, એ બધા દ્રવ્યો તો સતત સ્વાભાવિક પરિણમન કરી જ રહ્યા છે. એમાં કોઈ વિપરીતતા થતી નથી, કારણ કે તેઓ સ્વના અને પરના અસ્તિત્વને જાણતા નથી. પરંતુ આત્મદ્રવ્ય જ એવો છે કે જે સ્વ-પરનો જ્ઞાયક હોવાથી પોતાના જાણવામાં ભૂલ કરી શકે છે. ૩) આત્માનો ઉપયોગ જ્યારે સ્વમાં જઈને વિશ્રામ પામે છે ત્યારે આત્મામાં અંદર રહેવાવાળા અનંત ગુણોનો રસ સ્વાદ કરવાથી એવો તૃપ્ત થઈ જાય છે કે સ્વ તત્ત્વને છોડીને બહાર તરફ સન્મુખ જ થતો નથી, આ દશાનું નામ જ અરિહંત દશા છે. ૪) અનાદિ કાળથી આ આત્મા અજ્ઞાન દશામાં જગતના અનેક શેયોમાં પોતાના ઉપયોગનો પરિવર્તન કરતો થકો, તેમાં તન્મય થઈ રાગ-દ્વેષની ઉત્પત્તિ કર્યા વગર રહેતો નથી. એનું ફળ જ અનંત સંસાર અને દુઃખ છે. ૫) આપણે પણ અરિહંત ભગવાનના સ્વરૂપને દ્રવ્ય-ગુણ-પર્યાયથી જાણી તેમના જેવો જ્ઞાનનો વિષય માત્ર સ્વફ્લેય તત્ત્વને સ્વના રૂપમાં જાણી લઈએ-તન્મયતાપૂર્વક સ્વાભાવિક પરિણમન કરતાં આપણી પણ અરિહંત દશા પ્રગટી શકે. ૬) ભગવાન આત્મા પોતાના અમૂર્તિક, ચૈતન્ય જ્ઞાયક અને સુખની વેદના કરવાવાળો અનંત ગુણોનો ધારક હોવાથી એની પરાકાષ્ટાને જ ધારણ કરવાવાળો છે. આવું પૂર્ણ સામર્થ્ય અને આત્મસ્વભાવ બતાવવાને માટે અરિહંતનો જ આત્મા આદર્શ સમાન પ્રત્યક્ષ છે. જ્ઞાનની પૂર્ણતા, સંપૂર્ણ રાગ