SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ વિશેષાર્થ : ૧) આ રાગ - દ્વેષાદિ ભાવ સંસારની ઉત્પત્તિનું કારણ એક મારી મિથ્યા માન્યતા જ છે. ૨) આ જ કારણથી મારા જે નથી એવા જ્ઞેય તત્ત્વોને મારા માનીને એમને પ્રાપ્ત કરવાની અથવા હટાવવાની આ દોડ અનાદિથી કરતો આવ્યો છું. ૩) જ્ઞાનનો સ્વભાવ સ્વ-પરપ્રકાશક છે. એ સ્વભાવથી પોતાને જાણતો થકો પરને જાણતો ઉત્પન્ન થાય છે. ૪) અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણી, પોતાના આત્મસ્વરૂપને જાણી એના ફળ સ્વરૂપ દર્શન મોહનો નાશ થાય છે - સમ્યગ્દર્શન પ્રગટે છે. ૨. અરિહંત બનવાની વિધિ : ૧) પૂર્ણ રૂપથી સમજીને ૨) નિર્ણયમાં લાવીને ૩) શ્રદ્ધામાં દૃઢતાથી બેસાડીને ૪) બધી બાજુથી પોતાની પરિણતિને સમેટીને ૫) એકમાત્ર આ માર્ગ પર જ પૂર્ણ પુરુષાર્થ સાથે આરૂઢ થવું. ૬) આ એકમાત્ર આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અને સંસારનો અભાવ કરી ભગવાન બનવાનો ઉપાય છે. અરિહંત એટલે શુદ્ધ આત્મા. જેમાં દેહ નથી, રાગ નથી, જેમાં અપૂર્ણતા નથી એવા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા તે અરિહંત છે. તેને ઓળખતાં દેહથી ભિન્ન, રાગથી ભિન્ન પરિપૂર્ણ શુદ્ધ આત્મા જરૂર ઓળખાય છે, એટલે સમ્યગ્દર્શન થાય છે. જે કોઈ જીવ અરિહંત ભગવાનના દ્રવ્ય-ગુણ-પર્યાયને બરાબર જાણે છે તે જીવ ખરેખર પોતાના આત્માને જાણે છે ને તેનો મિથ્યાત્વ, ભ્રમ ચોક્કસ નાશ પામે છે અને શુદ્ધ સમ્યક્ત્વ પ્રગટે છે. અનાદિના અધર્મનો નાશ કરવાનો અને અપૂર્વ ધર્મ પ્રગટાવવાનો આ ઉપાય છે. ઠરે જીવ અરિહંત ભગવાનનું સ્વરૂપ ઓળખે છે તે જીવ સ્વભાવને આંગણે આવ્યો છે. જે જીવ અસિંહત ભગવાન જેવા પોતાના આત્માને ઓળખે છે, તેને ભેદજ્ઞાન થઈ જાય છે, એટલે તે રાગાદિને પોતાનું ખરું સ્વરૂપ માનતો નથી, તેમજ શરીરાદિની ક્રિયાને પોતાની માનતો નથી; રાગ રહિત ચૈતન્યભાવે તેનું અંતરપરિણમન થઈ જાય છે. જેણે અરિહંત ભગવાન જેવા પોતાના આત્માને મન વડે જાણી લીધો તે જીવ સ્વભાવને આંગણે આવ્યો છે, પરંતુ આંગણે આવ્યા પછી હવે અંદર ઉતરીને સ્વભાવનો અનુભવ કરવામાં અનંતો અપૂર્વ પુરુષાર્થ છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy