SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ પર્યાયમાં રહે છે માટે અપેક્ષા સમજવી જોઈએ. ૯૧. લોકો શુદ્ધ નયને જાણતા નથી કારણ કે શુદ્ધ નયનો વિષય અભેદ એકરૂપ વસ્તુ છે; તેઓ અશુદ્ધ નયને જ જાણે છે કેમ કે તેનો વિષય ભેદરૂપ અનેક પ્રકાર છે; તેથી તેઓ વ્યવહાર દ્વારા જ પરમાર્થને સમજી શકે છે. આ કારણે વ્યવહાર નયને પરમાર્થનો કહેનાર જાણી તેનો ઉપદેશ કરવામાં આવે છે. અહીં એમ ન સમજવું કે વ્યવહારનું આલંબન કરાવે છે પણ અહીં તો વ્યવહારનું આલંબન છોડાવી છે પરમાર્થ પહોંચાડે છે એમ સમજવું. ૯૨. આત્મા ચિદ્ઘન વસ્તુ છે. એમાં શરીર, મન, વાણી, કર્મ તો છે જનહિ, પણ કર્મના સંગે જે શુભઅશુભ ભાવો થાય એ મલિનતા, અશુદ્ધતા પણ એના સ્વરૂપમાં નથી. એ તો ઠીક પણ જ્ઞાનધન આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, પ્રભુતા, સ્વચ્છતા અનંત શક્તિઓ છે, છતાં આ શક્તિઓના ભેદ-અભેદ આત્મામાં નથી. ગુણ અને ગુણી પરમાર્થે અભેદ છે, ભેરૂપે નથી. ભેદૃષ્ટિમાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થતું નથી. ૯૩. સમ્યજ્ઞાનરૂપી મહારથને ચલાવનાર સારથી સમાન આચાર્ય વ્યવહાર -પરમાર્થ માર્ગમાં સ્થિત છે. નિશ્ચય વસ્તુ આત્મા સ્વરૂપથી જે છે તે પરમાર્થ છે અને તેને ભેદ કરીને સમજાવવી તે વ્યવહાર છે. ૯૪. વસ્તુ આત્મા છે તો અંદરમાં અનંત ગુણને પ્રાપ્ત અભેદ, પરંતુ એના મુખ્ય ધર્મોને લક્ષ કરી ‘દર્શનજ્ઞાન- ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા’ એમ ભેદ કરીને શિષ્યને સમજાવે છે. ભેદ આદરણીય નથી, આદરણીય તો એક પરમાર્થ વસ્તુ અભેદ આત્મા જ છે. ભેદ પાડીને આચાર્ય પરમાર્થ સમજાવે છે. ૯૫. ત્યારે તરત જ શિષ્યને પરમાર્થ વસ્તુ આત્મા ઉપર દષ્ટિ જતાં અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે. એના હૃદયમાં સુંદર બોધ તરંગો ઉછળે છે. આત્મા જ્ઞાનાનંદનો દરિયો છે. તેમાં દૃષ્ટિ થતાં અંતરમાં આનંદ સહિત જ્ઞાનતરંગો ઉછળે છે. જુઓ, ધર્મ રોકડિયો છે. જ્યાં સમ્યગ્દર્શન થાય કે તરત જ અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. ત્યારે તે ‘આત્મા’ શબ્દનો અર્થ બરાબર સમજી જાય છે. રાગને પ્રાપ્ત થાય તે અ ત્મા કે શરીરને પ્રાપ્ત થાય તે આત્મા એમ છે નહિ. ૯૬. ગુણના ભેદ વસ્તુમાં નથી. છતાં પરમાર્થને સમજાવવા માટે ભેદ પાડીને કહ્યું કે -‘દેખે તે આત્મા, જાણે તે આત્મા, અંતરમાં સ્થિર થાય તે આત્મા.' આમ સાંભળતા જ પાત્ર જીવને એકરૂપ વસ્તુ જે અભેદ ચૈતન્ય તેનાં પર દષ્ટિ જતાં સમ્યગ્દર્શન થાય છે. સાથે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. અનાદિનો પુણ્ય-પાપના વિકારી ભાવનો આકુળતારૂપ સ્વાદ હતો, તે હવે સમ્યગ્દર્શન થતાં અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે. કર્મ ચેતનાનો સ્વાદ મટી, જ્ઞાનચેતનાનો નિરાકુળ સુખનો સ્વાદ આવે છે. ૯૭. અહાહા....! સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ વસ્તુ છે. એક સેકંડ આવું સમ્યગ્દર્શન થાય ત્યાં દષ્ટિ અપેક્ષાએ મોક્ષ થઈ ગયો. આત્મા પોતે મોક્ષ સ્વરૂપ પરમાત્મસ્વરૂપ બીરાજે છે. એની દષ્ટિ અને અનુભવ થતાં પર્યાયમાં પરમાત્મપદ પ્રગટ થાય છે. દેવ-ગુરુ-શાસ્ત્રને માને, નવ તત્ત્વના ભેદ જાણે એ કાંઈ સમ્યગ્દર્શન
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy