SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ પરમાર્થદષ્ટિ, વસ્તુદષ્ટિ, યથાર્થદષ્ટિ, ભૂતાર્થદષ્ટિ એ બધા એકાર્યવાચક શબ્દો છે. ૧૧) ગુણ-પર્યાયનો પિંડ તે દ્રવ્ય છે. આત્મદ્રવ્ય પોતાના સ્વભાવથી ટકેલું છે, પણ રાગને લીધે ટકેલું નથી. આત્માના સ્વરૂપમાં રાગ નથી તેમ જ રાગ વડે આત્માના સ્વરૂપની પ્રાપ્તિ નથી. ૧૨) ત્રિકાળી દ્રવ્યસ્વરૂપને સ્વીકાર્યા વગર સમ્યગ્દર્શન થાય નહિ કેમ કે પર્યાય તો એક સમય પૂરતી જ છે, બીજા સમયે તેની નાસ્તિ થઈ જાય છે. તેથી પર્યાયના લક્ષે એકાગ્રતા કે સમ્યગ્દર્શન થઈ શકતું નથી. ૧૩) પર્યાયમાં એકત્વ બુદ્ધિ છોડીને દ્રવ્ય સ્વભાવમાં એકત્વ બુદ્ધિ કરવી. એકત્વ બુદ્ધિ એટલે આ જ હું એવી માન્યતા. ૧૪) પર્યાયના લક્ષે આ જ હું એમ પર્યાય જેટલો જ પોતાને ન માનતા ત્રિકાળી દ્રવ્યના લશે ‘આ જ હું એમ દ્રવ્ય સ્વભાવની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે. ૧૫) એક અવસ્થામાંથી બીજી અવસ્થા આવતી નથી, પણ દ્રવ્યમાંથી જ આવે છે. અર્થાત્ એક પર્યાય પોતે બીજી પર્યાયરૂપે પરિણમતિ નથી પણ કમબદ્ધ એક પછી એક પર્યાયરૂપે જ દ્રવ્યનું પરિણમન થાય છે. તેથી પર્યાયદષ્ટિ છોડીને દ્રવ્યદૃષ્ટિ કરવાથી જ શુદ્ધતા પ્રગટે છે. ૧૬) પર્યાય ખંડખંડરૂપ છે, તે સદાય એકસરખી રહેતી નથી અને દ્રવ્ય અખંડરૂપ છે ને સદાય એકસરખું રહે છે. માટે દ્રવ્યદૃષ્ટિથી શુદ્ધતા પ્રગટે છે. ૧૭) પર્યાય ક્ષણિક છે, દ્રવ્ય ત્રિકાળ છે. ત્રિકાળીના લક્ષે જ એકાગ્રતા થઈ શકે છે અને ધર્મ પ્રગટે છે. ૧૮) પર્યાય ક્રમવત સ્વભાવની હોવાથી એક સમયે એક જ હોય છે અને દ્રવ્ય તો અજમવર્તી સ્વભાવવાળું અનંત ગુણ-પર્યાયોનો અભેદ પિંડ છે, તે દરેક સમયે પૂરેપુરું છે. તેથી પૂર્ણતાના લક્ષે જ સમ્યગ્દર્શન-વીતરાગતા પ્રગટે છે. ૧૯) માટે દ્રવ્ય અને પર્યાયનું યથાર્થ જ્ઞાન કરીને, ત્રિકાળી સ્વભાવ તરફ રુચિ કરીને ત્યાં જ એકતા કરવી યોગ્ય છે. આ જ ધર્મનો-સમ્યગ્દર્શનનો ઉપાય છે. ૨૦) પર્યાયબુદ્ધિ તે મિથ્યાદષ્ટિ છે અને સ્વભાવદષ્ટિ - દ્રવ્યદષ્ટિ એ જ સમ્યગ્દષ્ટિ છે અને એ જ પ્રયોજનભૂત છે. ૨. શુદ્ધ સ્વભાવનો આદર કરવાથી સમ્યગ્દર્શન થાય છે? ૧) આત્માનો સ્વભાવ એ જશુદ્ધભાવ છે, તે જ આદરણીય છે. અંતર્મુખ થઈને એ શુદ્ધસ્વભાવને માનવો તે સમ્યગ્દર્શન છે. ૨) આત્માનો શુદ્ધ સ્વભાવ પરથી જુદો ને વિકારથી રહિત શી રીતે છે એ જાણીને તેની રુચિ કરવી, શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy