________________
૨૭૫ ૮. આગમ જ્ઞાન - પર અવલંબન - તેનાથી પણ સૂક્ષ્મ. ૯. મિથ્યાદર્શન- છૂપાયેલો ચોર - અભિપ્રાયની ભૂલ. ૧૦. શેયાકાર જ્ઞાન - ષેય સંબંધીનું સૂક્ષ્મ જ્ઞાન. ૧૧. જ્ઞાનાકારનું જ્ઞાન - આત્માનું લક્ષણ છે. તેનાથી જ આત્મા પકડી શકાય છે.
આવી રીતે ભેદજ્ઞાનનો વિસ્તારથી અભ્યાસ કરી સમ્યગ્દર્શન પ્રગટ કરવા ભેદજ્ઞાન પ્રયોગપદ્ધતિ વડે આત્માની પ્રતીતિ - લક્ષ અને અનુભવ કરવો. જ્ઞાનના અભ્યાસથી ભેદજ્ઞાન થાય છે અને ભેદજ્ઞાનના
અભ્યાસથી કેવળજ્ઞાન થાય છે. ૧૪ દ્રવ્યદૃષ્ટિ તે જ સમ્યગ્દષ્ટિ છે : ૧. ભૂમિકા
૧) આ જીવ અનાદિથી અજ્ઞાનને લીધે પરદ્રવ્યને પોતાનું કરવા મથે છે, શરીરાદિને પોતાનું કરીને રાખવા માંગે છે, પરંતુ પારદ્રવ્યનું પરિણમન જીવને આધીન નથી. અનાદિથી જીવના અજ્ઞાનભાવના મહેનતના ફળમાં એક પરમાણુ પણ જીવનો થયો નથી. ૨) અનાદિથી દેહદષ્ટિપૂર્વક શરીરને - રાગને પોતાનું માન્યું છે. કોઈ દિવસ ત્રિકાળી ભગવાન આત્મા પોતાના દ્રવ્ય તરફ દષ્ટિ કરી નથી. ૩) જીવ જો પોતાના સ્વરૂપની સાચી સમજણ કરવા માંગે તો તે યથાર્થ પુરુષાર્થ દ્વારા અલ્પ કાળમાં સમજી શકે છે. સાચી સમજણ સહજ સુલભ છે. સાચી સમજણ કરવાની રુચિના જ અભાવે જીવ અનાદિથી પોતાનું સ્વરૂપ સમજ્યો નથી. માટે દ્રવ્યદૃષ્ટિ દ્વારા સ્વરૂપ સમજવાની રુચિ-જ્ઞાન-પ્રતીતિશ્રદ્ધા-અનુભવ કરો. દ્રવ્યદૃષ્ટિથી સમ્યગ્દર્શન પ્રગટ થાય જ! ૪) દ્રવ્યદૃષ્ટિમાં ભવ નથી, દ્રવ્યદષ્ટિમાં ત્રિકાળ મુક્તિ જ છે. ૫) દ્રવ્યદૃષ્ટિ ભવને બગડવા દેતી નથી. ૬) દ્રવ્યદૃષ્ટિ એકલા આત્માને જ સ્વીકારે છે. ૭) મોક્ષ પણ દ્રવ્યદષ્ટિને આધીન છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી. ૮) જ્ઞાન પણ દષ્ટિને આધીન છે. જે જીવને દ્રવ્યદૃષ્ટિ નથી તે જીવનું જ્ઞાન પણ સાચું નથી. અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર !” ૯) ઊંધી દષ્ટિથી ઊંધાઈનું પાપ અનંતગણું છે. ૧૦) દ્રવ્યદૃષ્ટિ એ જ કર્તવ્ય છે. દ્રવ્યદષ્ટિ કહો કે આત્મસ્વરૂપની ઓળખાણ કહો, સમ્યગ્દષ્ટિ,