________________
૨૫૮
સુખ છે. અભેદસ્વભાવનું લક્ષ કહો, જ્ઞાતાસ્વરૂપનો અનુભવ કહો, સુખ કહો, ધર્મ કહો કે સમ્યગ્દર્શન કહો તે આ જ છે.
૧૫. વિકલ્પ રાખીને સ્વરૂપનો અનુભવ થઈ શકે નહિ. અખંડાનંદ અભેદ આત્માનું લક્ષ નય દ્વારા થતું નથી. કોઈ મહેલમાં જવા માટે મોટર ગમે તેવી દોડાવે પણ તે મહેલના બારણા સુધી આવી શકે, મોટર સહિત મહેલમાં પેસી શકાય નહિ. ગમે ત્યાં સુધી આગળ લઈ જાય પણ છેવટે તો મોટરમાંથી ઊતરીને જાતે અંદર જવું પડે.
૧૬. તેવી રીતે નય પક્ષના વિકલ્પોરૂપી ઓટર ગમે તેટલી દોડાવે, ‘હું જ્ઞાયક છું, અભેદ છું, શુદ્ધ છું’એવા વિકલ્પ કરે તો પણ તે વિકલ્પ. સ્વરૂપના આંગણા સુધી લઈ જાય. પરંતુ સ્વરૂપના અનુભવ વખતે તો તે બધા વિકલ્પ છોડી જ દેવા પડે. વિકલ્પ રાખીને સ્વરૂપનો અનુભવ થઈ શકે નહિ. ૧૭. નય પક્ષોનું જ્ઞાન તે સ્વરૂપના આંગણે આવવા માટે જરૂરનું છે. ‘“હું સ્વાધીન જ્ઞાનસ્વરૂપી આત્મા છું, કર્મો જડ છે, જડ કર્મો મારા સ્વરૂપને રોકી શકે નહિ, હું વિકાર કરું તો કર્મોને નિમિત્ત કહેવાય, પણ કર્મો મને વિકાર કરાવે નહિ કેમ કે બન્ને દ્રવ્યો જુદા છે, તે કોઈ એકબીજાનું કરી શકે નહિ. હું જડનું કાંઈ ન કરું, જડ મારું કાંઈ ન કરે, રાગ-દ્વેષ થાય છે તે કર્મ કરાવતું નથી. તેમ જ પરવસ્તુમાં થતાં નથી પણ મારી અવસ્થામાં જ થાય છે, તે રાગ-દ્વેષ મારો સ્વભાવ નથી, નિશ્ચયથી મારો સ્વભાવ રાગરહિત જ્ઞાનસ્વરૂપ છે’’ આ પ્રમાણે બધા પડખાંનું (નયોનું) જ્ઞાન પહેલાં કરવું જોઈએ, પરંતુ આટલું કરે ત્યાં સુધી પણ ભેદનું લક્ષ છે. ભેદના લક્ષથી અભેદ આત્મસ્વરૂપનો અનુભવ થતો નથી, છતાં પહેલાં તે ભેદ જાણવા જોઈએ. એટલું જાણે ત્યારે તે સ્વરૂપના આંગણા સુધી આવ્યો છે. પછી જ્યારે અભેદનું લક્ષ કરે ત્યારે ભેદનું લક્ષ છૂટી જાય અને સ્વરૂપનો અનુભવ થાય એટલે કે અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટે.
૧૮. સમ્યગ્દર્શન નિર્વિકલ્પ સામાન્ય શ્રદ્ધાગુણનો શુદ્ધ પર્યાય છે, તેને એકલાં નિશ્ચય-અખંડ સ્વભાવ સાથે સંબંધ છે, અખંડ દ્રવ્ય જે ભંગ-ભેદ રહિત છે તે જ સમ્યગ્દર્શનને માન્ય છે; સમ્યગ્દર્શન પર્યાયને સ્વીકારતું નથી.
૧૯. સમ્યગ્દર્શન સાથે રહેતું જે સમ્યજ્ઞાન છે તેનો સંબંધ નિશ્ચય-વ્યવહાર બન્ને સાથે છે એટલે કે નિશ્ચયઅખંડ સ્વભાવને તથા વ્યવહારમાં પર્યાયના જે ભંગ-ભેદ પડે છે તે બધાને સમ્યજ્ઞાન જાણી લે છે. ૨૦. સમ્યગ્દર્શન એક નિર્મળ પર્યાય છે, પણ ‘હું એક નિર્મળ પર્યાય છું’ એમ સમ્યગ્દર્શન પોતે પોતાને જાણતું નથી. સમ્યગ્દર્શનનો અખંડ વિષય એક દ્રવ્ય જ છે. પર્યાય તે સમ્યગ્દર્શનનો વિષય નથી. ૨૧. સમ્યગ્દર્શનનો વિષય તો અખંડ દ્રવ્ય જ છે. સમ્યગ્દર્શનના વિષયમાં દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ નથી, દ્રવ્ય-ગુણ-પર્યાયથી અભેદ વસ્તુ તે જ સમ્યગ્દર્શનને માન્ય છે.
૨૨. અભેદ વસ્તુનું લક્ષ કરતાં જે નિર્મળ પર્યાય પ્રગટ્યો તે સામાન્ય વસ્તુ સાથે અભેદ થઈ જાય છે. એટલ કે એ પર્યાયમાં સામાન્ય જેટલું સામર્થ્ય ઉત્પન્ન થાય છે.