________________
૨૫૧
૮. બીજું પડખું - વર્તમાન પર્યાયમાં દોષ છે - વિકાર છે, તે નક્કી કરવું. આ પડખું વ્યવહાર નયનો વિષય છે.
૯. આમ બે નય દ્વારા આત્માના બન્ને પડખાંને નક્કી કર્યા પછી વિકારી પર્યાય ઉપરનું વલણ - લક્ષ છોડીને પોતાના ચૈતન્યસ્વરૂપ તરફ વળવું. જ્ઞાયકનો વિચાર કરી તેમાં એકાગ્રતાનો અભ્યાસ કરવો. ૧૦. વર્તમાન જ્ઞાનની પર્યાય જે અત્યાર સુધી પર તરફ વળીને રાગ-દ્વેષ કરી વિકારી થતી હતી તેને સ્વસન્મુખ વાળવી.
૧૧. જેમ જેમ એ વર્તમાન જ્ઞાનની પર્યાય જ્ઞાયક તરફ ઢળતી જાય -લીન થતી જાય તેમાં છેવટે અભેદ રીતે જ્ઞાયકમાં એકરૂપ થઈ જાય એટલે પોતાનું સર્વસ્વ અર્પણ કરી જ્ઞાયકનો સ્વીકાર કરી લ્યે તો એની અંદર જ્ઞાયક જેવું સામર્થ્ય ઉત્પન્ન થાય છે. જેવી વીતરાગતા સ્વભાવમાં છે તેવી એક સમય માટે પર્યાયમાં વીતરાગતા ઉત્પન્ન થાય છે. આ રીતે જ્ઞાયકના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.
૧૨. સમ્યગ્દર્શન કોઈ પરદ્રવ્ય, દેવ-ગુરુ-શાસ્ત્ર, નિમિત્ત, પર્યાય, ગુણભેદ કે ભંગ વગેરેને સ્વીકારતું નથી, કેમ કે તેનો વિષય એક ત્રિકાળી, જ્ઞાયકસ્વરૂપ, અખંડ, શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યસ્વરૂપ આત્મા છે એને ‘જ્ઞાયક’ કહેવામાં આવે છે.
૮. સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપાય ‘તત્ત્વ નિર્ણય'' :
૧. મોક્ષાર્થી જીવને મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉપાય ‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર' રત્નત્રયી જ કહ્યો છે. મોક્ષમાર્ગ પ્રગટ કરવાનો ઉપાય એક ‘તત્ત્વ નિર્ણય સ્વરૂપ અભ્યાસ’ જ છે. પુરુષાર્થથી તત્ત્વ નિર્ણયમાં ઉપયોગ લગાવવાથી સ્વયમેવ જ મોહનો અભાવ થવાથી સમ્યક્ત્વાદિપ મોક્ષ ઉપાયનો પુરુષાર્થ બને છે, એટલા માટે મુખ્યતાથી ‘તત્ત્વનિર્ણયમાં’ ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો અને ઉપદેશ પણ આ પુરુષાર્થ કરવાને અર્થે થાય છે.
૨. તત્ત્વ નિર્ણય કરવાની રુચિ માટે જિજ્ઞાસા અને પાત્રતા જરૂરી છે. જેને વર્તમાન પર્યાયમાં દુઃખ અર્થાત્ આકુળતા-રાગ-દ્વેષની અનુભૂતિ થઈ રહી છે તે જ આત્માને આ અસંતોષની દશા મિટાવી એના સ્થાન પર સુખ પ્રગટ કરવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. એ જ વ્યક્તિ માર્ગ શોધવા પુરુષાર્થ કરે છે.
૩. તત્ત્વનિર્ણયરૂપ ધર્મ તો બાળ-વૃદ્ધ, રોગી-નિરોગી, ધનવાન-નિર્ધન સર્વ અવસ્થાઓમાં પ્રાપ્ત થવા યોગ્ય છે. તેથી જે જીવ પોતાના હિતનો ઇચ્છુક છે તેણે સર્વથી પહેલાં આ તત્ત્વનિર્ણયરૂપ કાર્ય કરવું યોગ્ય છે.
૪. ભાગ્યોદયથી જેઓ મનુષ્ય પર્યાય પામ્યા છે તેમણે તો સર્વ ધર્મનું મૂળ કારણ સમ્યગ્દર્શન અને તેનું મૂળ કારણ ‘તત્ત્વ નિર્ણય’ અને તેનું પણ મૂળ કારણ સત્સમાગમ અને શાસ્ત્ર અભ્યાસ તે અવશ્ય કરવા યોગ્ય છે.