________________
૨૫૦
૯. આવા ‘હું કોણ છું ?’ પ્રશ્નના યથાર્થ ઉત્તર મળવાથી અને એનો વિચાર વિવેકપૂર્વક અને શાંત ભાવથી એટલે કષાયોના પરિણમન મંદ હોય ત્યારે કરવાથી અને તે સ્વરૂપનું ચિંતવન અને ધ્યાન કરવાથી તે સ્વરૂપનો અનુભવ થાય છે. તે અનુભૂતિને સમ્યગ્દર્શન પ્રગટ થયું એમ કહેવાય છે.
૧૦. સત્સંગ, સ્વાધ્યાય, ગુણજિજ્ઞાસા, પ્રભુભક્તિ, આત્મવિચાર અને આત્મસાક્ષાત્કાર એ જ આત્મઉન્નત્તિનો ક્રમ છે.
આ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો સરળમાં સરળ ઉપાય છે.
વસ્તુસ્વરૂપ જેવું છે તેવું જાણી તેનું યથાર્થ શ્રદ્ધાન કરવું.
૭. સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપાય (વસ્તુસ્વરૂપ અનુસાર) :
૧. આત્મા અને પરદ્રવ્યો તદ્ન જુદા છે, એકનો બીજામાં અત્યંત અભાવ છે. એક દ્રવ્ય, તેના કોઈ ગુણ કે તેની કાઈ પર્યાય બીજા દ્રવ્યમાં, તેના ગુણમાં કે તેના પર્યાયમાં પ્રવેશ કરી શકતા નથી; માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ એવી વસ્તુસ્થિતિની મર્યાદા છે. વળી દરેક દ્રવ્યમાં અગુરુલઘુત્વ ગુણ છે કેમ કે તે સામાન્ય ગુણ છે. તે ગુણને લીધે કોઈ કોઈનું કરી શકે નહિ. તેથી આત્મા પરદ્રવ્યનું કાંઈ કરી શકે નહિ, શરીરને હલાવી-ચલાવી શકે નહિ. દ્રવ્ય કર્મો કે કોઈ પણ પરદ્રવ્ય જીવને કદી નુકસાન કરી શકે નહિ, આ પ્રથમ નક્કી કરવું. આ રીતે દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંત નક્કી થયો. ૨. ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત બરાબર લક્ષમાં લેવો. જે દ્રવ્યનું, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, જે નિમિત્તથી સર્વશે પોતાના જ્ઞાનમાં જેવું જોયું છે, તે દ્રવ્યનું, તે ક્ષેત્રે, તે કાળે, તે ભાવે, તે જ નિમિત્તથી, તે જ પ્રમાણે પરિણમન થાય તેમાં નરેન્દ્ર, દેવેન્દ્ર કે જિનેન્દ્ર કાંઈ કરી શકે નહિ. આ થયો ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત.
r
૩. આ બધી પર્યાયો પોતાની તે સમયની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે પોતાના ષટકારકથી જ ઉત્પન્ન થાય છે. તે વખતે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી એ ધ્યાનમાં રાખવું. આ થયો ઉપાદાન-નિમિત્તનો સિદ્ધાંત.
૪. આમાં પાંચેય સમવાય આવી જાય છે. (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) નિમિત્ત (૪) કાળલબ્ધિ અને (૫) પુરુષાર્થ. કોઈ પણ કાર્ય થતી વખતે આ પાંચે ય સમવાય હોય જ છે.
૫. આ પ્રમાણે નક્કી કરવાથી જગતના પરપદાર્થોના કર્તાપણાનું જે અભિમાન આત્માને અનાદિથી ચાલ્યું આવે છે તે માન્યતામાંથી (અભિપ્રાયમાંથી) અને જ્ઞાનમાંથી ટળી જાય છે.
૬. તો સૌથી પહેલાં તો સ્વદ્રવ્ય-પરદ્રવ્યની ભિન્નતા નક્કી કરવી, પછી શું કરવું તે હવે કહેવાય છે.
૭. સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની ભિન્નતા નક્કી કરી, પરદ્રવ્યો ઉપરનું લક્ષ છોડી સ્વદ્રવ્યના વિચારમાં આવવું, ત્યાં આત્માના બે પડખાં છે જે જાણવા. આત્માનું એક પડખું દરેક સમયે ત્રિકાળી અખંડ પરિપૂર્ણ ચૈતન્ય સ્વભાવરૂપપણું દ્રવ્ય-ગુણે-પર્યાયે છે, આત્માનું આ પડખું નિશ્ચય નયનો વિષય છે. આ પડખાંને નક્કી કરનાર જ્ઞાનનું પડખું તે ‘નિશ્ચય નય’ છે.