________________
૨૪૫
જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યત પ્રાપ્ત
થવા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. ૮. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વ
અર્પણપણે ઉપાસવો યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે એવો અમારો સાક્ષાત્કાર છે. ૯. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે; કેમ કે તે
સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનાર
એવાં માઠાં કારણોનો ત્યાગ ન કર્યો. ૧૦. મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન
થાય નહિ, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહિ. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહાદિનાશ પામે
અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. ૧૧. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે, કોઈ મહદ્ પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી
આ જ સત્સંગ, આ સત્પષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી, પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યું કાર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરીક્ષણ કરવા અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવ આદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય
ગોપવવું ઘટે નહિ. ૧૨. સત્સંગનું એટલે પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત
થયો છે એવો જે ઉપદેશ ને પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધો કે જે આરાધનાથી
જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. ૧૩. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને
કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતાં, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ એ મુખ્ય છે.
તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કર્યા જ કરવાનું કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કાંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સાધન સત્સંગ છે. પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહિ, તેને આચરે નહિ, આચરવામાં થતાં પ્રમાદને છોડે નહિ તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહિ.