________________
૨૪૦ અને ભોગવટાને કોઈ મોટો પુરુષાર્થ કે સુખ સમજી રહ્યો છે. એના અંતરમનમાં એ માનીને બેઠો છે
કે ભોગમય જીવન જ સુખમય જીવન છે. ૫. ગંભીરતાથી આનો વિચાર કરવામાં આવે તો જોવા મળશે કે બધી જાતની સમૃદ્ધિ, પદવી હોવા છતાં
એ માનવી આકુળ-વ્યાકુળ, અશાંત, ભયાકુળ અને ચિંતાતુર જોવા મળે છે. તો પછી વાસ્તવિક
સુખ શું છે અને ક્યાં છે? ૬. ઘણા લોકો દલીલ કરે છે કે સુખ-દુઃખે તો મનની એક કલ્પના છે, એ સુખ ભોગ સામગ્રીમાં નથી
પણ કલ્પનામાં છે. ૭. જો સુખને કલ્પના માનવામાં આવે તો એનો અર્થ તો એ થયો કે સુખ કાલ્પનિક છે, વાસ્તવિક નથી.
તો પછી શું એમ માનવું જોઈએ કે સુખની વાસ્તવિક સત્તા જ નથી ? આ વાત તો કોઈને પણ
સ્વીકાર્ય જ નથી. તો પછી પ્રશ્ન થાય છે કે સાચું સુખ ક્યાં છે? ૮. ઘણા લોકો ઇચ્છાઓની પૂર્તિને સુખ માને છે. અને ઇચ્છાઓની પૂર્તિ ન થાય તેને દુઃખ માને છે.
હવે શાંતિથી વિચારો કે ઇચ્છાઓની પૂર્તિ સંભવ છે ખરી? જીવો અનંત છે અને દરેક જીવની જો અનંત ઇચ્છાઓ પૂર્ણ કરવી હોય તો અનંતાનંત ભોગ સામગ્રી જોઈએ અને ખરેખર એ સામગ્રી તો સીમિત જણાય છે. તો પછી ઇચ્છાઓની પૂર્તિ ભોગસામગ્રી વડે સંભવ નથી. તે સિવાય એક ઇચ્છાની પૂર્તિ થતાં તત્કાળ બીજી નવી ઇચ્છા ઉત્પન્ન થયા વગર રહેતી નથી. આ તો પ્રવાહરૂપે ચાલુ જ રહે છે. આનો અર્થ એ થાય છે કે ઇચ્છાપૂર્તિમાં પણ સાચું સુખ નથી. ખરેખર સાચું સુખ તો ઇચ્છાઓના અભાવમાં છે. . ૯. જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી જ મળી શકે છે. જે વસ્તુ જ્યાં હોય જ નહિ, જેની સત્તામાં જ્યાં - સંભાવના ન હોય તે ત્યાંથી કેમ પ્રાપ્ત થાય? ૧૦. જેમ જ્ઞાન આત્માનો એક ગુણ છે, એટલે જ્ઞાનની પ્રાપ્તિ ચેતન આત્મામાં જ સંભવે છે, જડમાં
નહિ. તે પ્રમાણે જ ‘સુખ’ પણ આત્માનો એક ગુણ છે, જડનો ગુણ નથી. એટલે સુખની પ્રાપ્તિ
આત્મામાંથી જ થશે, શરીરાદિ જડ પદાર્થોમાંથી થાય નહિ. ૧૧. જે પ્રકારે આ આત્મા સ્વયં પોતાને ન જાણીને અજ્ઞાનરૂપ (મિથ્યાજ્ઞાન) પરિણમિત થઈ રહ્યો છે, તે
જ પ્રકારે આ જીવ સ્વયં સુખ જે પોતાનો ગુણ છે તે ભૂલીને, તે સુખ મેળવવા પરપદાર્થો તરફ
પ્રયત્નશીલ છે એ જ એના દુઃખનું મૂળ કારણ છે. ૧૨. જીવની પીડા અને દુઃખના ત્રણ કારણો છે. (૧) મિથ્યાત્વ (૨) અજ્ઞાનતા (૩) અસંયમ. એના
પેટામાં આવે છે રાગ-દ્વેષ, ચાર કષાય - ક્રોધ, માન, માયા, લોભ અને મોહ. ૧૩. 'જેસ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત’ - આત્મસિદ્ધિ શાસ્ત્રની શરૂઆત આ પદથી થાય છે.
આ જીવના દુઃખનું મૂળ કારણ તેને પોતાના સાચા સ્વરૂપની સમજણ નથી.