SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ૧. જીવની અનાદિની તત્ત્વ સંબંધી ભૂલોની સમજણઃ ૧. “શરીર તે હું છું’ એમ જીવ અનાદિથી માની રહ્યો છે, તેથી હું તેને હલાવી ચલાવી શકું, શરીરના કાર્યો હું કરી શકું, શરીર સારું હોય તો મને લાભ થાય એ વગેરે પ્રકારે તે શરીરને પોતાનું માને છે; આ મોટો ભ્રમ છે. આ જીવ તત્ત્વની ભૂલ છે. એટલે કે હું આત્મા છું એમ તે માનતો નથી અને જીવને તે અજીવ માને છે. ૨. શરીરની ઉત્પત્તિથી જીવનો જન્મ અને શરીરના વિયોગથી જીવનું મરણ તે માને છે. તેમાં અજીવને જીવ માને છે. આ અજીવ તત્ત્વની ભૂલ છે. આત્મા અને દેહ ભિન્ન છે એમ તે માનતો નથી. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે જ્યારે દેહ જડ છે. ૩. મિથ્યાત્વ, કષાય, પ્રમાદ, યોગ, રાગાદિ પ્રગટ દુઃખ દેનારા છે છતાં તેનું સેવન કરવામાં સુખ માને છે. આ આસ્રવ તત્ત્વની ભૂલ છે. ૪. શુભને લાભદાયક અને અશુભને નુકસાનકારક તે માને છે, પણ તત્ત્વદષ્ટિએ પુણ્ય અને પાપ બન્ને નુકસાનકારક છે એમ તે માનતો નથી. આ બંધ તત્ત્વની ભૂલ છે. ૫. સમ્યજ્ઞાન તથા તે પૂર્વકનો વૈરાગ્ય જીવને સુખરૂપ છે, છતાં તે પોતાને કષ્ટ આપનાર અને ન સમજાય એવાં છે - એમ માને છે તે સંવર તત્ત્વની ભૂલ છે. ૬. શુભાશુભ ઇચ્છાઓને નહિ રોકતાં, ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે ઇચ્છા કર્યા કરે છે તે નિર્જરા તત્ત્વની ભૂલ છે. ૭. સમ્યગ્દર્શનપૂર્વક જ પૂર્ણ નિરાકુળતા પ્રગટ થાય છે અને તે જ ખરું સુખ છે - એમ ન માનતા, બાહ્ય સામગ્રીથી સુખ મળી શકે છે એમ જીવ માને છે તે મોક્ષ તત્વની ભૂલ છે. આ ભૂલોનું મૂળ કારણ મિથ્યાદર્શન છે. વિપરીત માન્યતા છે. એ ભૂલોને ટાળવી એ જ સમ્યગ્દર્શન છે. પોતાનું સાચું સ્વરૂપ ન સમજવાની આ ભૂલ છે અને તેનું ફળ અનંત સંસાર છે. આ ભૂલોનું ફળ જીવને સમયે સમયે અનંત દુઃખનો ભોગવટો છે, એટલે કે ચાર ગતિઓમાં - મનુષ્ય-દેવ-તિર્યંચ અને નારક તરીકે જન્મી-મરી દુઃખ ભોગવે છે. આ ગતિઓમાં સૌથી દુઃખદાયક ગતિ નિગોદ - એકેન્દ્રિયની છે. સંસાર દશામાં વધારેમાં વધારે કાળ જીવ તેમાં કાઢે છે. તે અવસ્થા ટાળી ક્રમે મનુષ્યપણું પ્રાપ્ત કરવું તો અતિ અતિ દીર્ધકાળે બને છે અને તેમાં પણ સત્ય ધર્મ પામવાનો મુખ્ય સમય મનુષ્યપણું જ છે. જો જીવ સ્વરૂપની સાચી સમજણ પ્રાપ્ત કરે તો કાયમને માટે આ દુઃખ ટળી શકે. પરંતુ મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યા પછી પણ કાં તો ધર્મનો યથાર્થ વિચાર કરતો નથી, અથવા તો ધર્મને નામે ચાલતી અનેક મિથ્યા માન્યતાઓમાંથી કોઈ ને કોઈ મિથ્યા માન્યતાને ગ્રહણ કરે છે. કુદેવ-કુગુરુ અને કુશાસ્ત્રમાં શ્રદ્ધા રાખી તે ફસાઈ જાય છે. અથવા તો બધા ધર્મો એક સમાન છે એમ ઉપલક દષ્ટિએ માની લઈને બધાનો સમન્વય કરવા લાગે છે અને પોતાની એ ભ્રમણાવાળી બુદ્ધિને, વિશાળ બુદ્ધિ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy