SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ૯. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની કમસર ભલામણઃ સન્શાસ્ત્રોનો ધર્મબુદ્ધિ વડે અભ્યાસ કરવો. આ ઉપરાંત નીચેના ક્રમ પર લક્ષ રાખવું. ૧. સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે. ૨. સમ્યગ્દર્શન પ્રગટ કર્યા સિવાય કોઈ પણ જીવને સાચા વ્રત, સામાયિક, પ્રતિક્રમણ, તપ, પ્રત્યાખ્યાન વગેરે ક્રિયાઓ હોય નહિ. કેમ કે તે ક્રિયાઓ પ્રથમ પાંચમા ગુણસ્થાને શુભભાવરૂપે હોય છે. ૩. શુભભાવ જ્ઞાની અને અજ્ઞાની બન્નેને થાય છે. પણ અજ્ઞાની જીવ એમ માને છે કે તેનાથી ધર્મ થશે. પણ જ્ઞાનીઓને હેયબુદ્ધિએ હોવાથી તેનાથી ધર્મ થશે એમ તેઓ કદી માનતા નથી. ૪. આ ઉપરથી શુભભાવ કરવાની ના પાડવામાં આવે છે એમ સમજવું નહિ; પણ તે શુભભાવને ધર્મ માનવો નહિ; કારણ કે તે વિકાર હોવાથી અનંત વીતરાગદેવોએ તેને બંધનું કારણ કહ્યું છે. ૫. જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં સમ્યકત્વ હોય પછી વ્રત હોય. હવે સમ્યકત્વ તો સ્વ પરનું શ્રદ્ધાન થતાં થાય છે, માટે યથાર્થ શ્રદ્ધાન કરી સમ્યગ્દષ્ટિ થવું. ૬. પહેલાં ગુણસ્થાને જિજ્ઞાસુ જીવોને જ્ઞાની પુરુષના ધર્મોપદેશનું શ્રવણ, નિરંતર તેમનો સમાગમ, સત્ શાસ્ત્રોનો અભ્યાસ, વાંચન-મનન, દેવદર્શન,પૂજા, ભક્તિ, દાન વગેરે શુભભાવો હોય છે. પરંતુ પહેલાં ગુણસ્થાને સાચા વ્રત, તપ વગેરે હોતાં નથી. ૭. ગુણસ્થાનનો ક્રમ જેમ છે તેમ જાળવી રાખવો. ૧૦ સાધનાનો કમઃ ૧. સ્વરૂપની રુચિ (અંતર્મુખ વલણની રુચિ) ૨. સ્વરૂપની યથાર્થ સમજણ (સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન અને તેમાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્ત) ૩. સ્વરૂપનો યથાર્થ નિર્ણય. “હું જ્ઞાન આનંદસ્વભાવી ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું'. ભેદજ્ઞાન અને વીતરાગ વિજ્ઞાનનો અભ્યાસ. ૪. સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા-પ્રતીતિ-લક્ષ-અનુભવ. વારંવાર એકાગ્રતાનો અભ્યાસ. ૫. સ્વરૂપ સન્મુખ થઈને નિર્વિકલ્પ અનુભૂતિ થાય. આનંદનું વેદના થાય ત્યારે જ યથાર્થ સમ્યગ્દર્શન થયું કહેવાય. ૬. જેને જેની રુચિ હોય તેની વારંવાર ભાવના ભાવે. આ ભાવના અનુસાર ભવન થાય છે. જેવી ભાવના તેવું ભવન. અનિત્ય આદિ બાર ભાવનાઓનું નિયમિત ચિંતવન - અનુપ્રેક્ષા. ૭. જ્યાં સુધી આત્મઅનુભવ ન થાય ત્યાં સુધી સત્સમાગમે વારંવાર પ્રીતિપૂર્વક તેનું શ્રવણ-મનન ચિંતવન અને ભાવના કર્યા જ કરવી. એ ભાવનાથી ભવનો નાશ થાય છે. “આત્મભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે!'
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy