________________
૨૧૫
શાંતિનું ઝરણું આવે છે. મુમુક્ષુ જીવ જે શાંતિ લેવા માંગે છે તે કોઈ સંજોગમાંથી નથી આવતી પણ પોતાના સ્વભાવમાંથી જ આવે છે. સ્વભાવના સામર્થ્યનો મહિમા આવતાં - ચૈતન્યસ્વરૂપ કે જે અનંત સુખથી ભરેલું છે તેની પ્રતીત થતાં અને બીજી બાજુ સંયોગોની ક્ષણભંગુરતા જાણીનેદુઃખનું કારણ જાણીને - ત્યાંથી દષ્ટિ હટાવી જે પોતાના સ્વભાવમાં અંતર્મુખ થાય છે, એકાગ્ર થાય છે તે આત્મા શાંતિના ઝરણાનું પાન કરીને તૃપ્ત તૃપ્ત થઈ જાય છે.
૫. આત્માર્થી જીવ આત્મહિત માટે હંમેશા સ્વાધ્યાય - ચિંતન જરૂર કરે. જ્ઞાયક એવો હું જગતથી છૂટો છું. જગતની સાથે મારે કોઈ સંબંધ નથી. જગતના કોઈ કામનો બોજો મારા ઉપર નથી. હું તો અસંગ ચૈતન્ય તત્ત્વ છું - માત્ર જાણનાર છું, કરનાર નથી. આ પ્રમાણે નિવૃત્ત થઈને રોજ ઘડી બેઘડી પણ પોતાના આવા સામર્થ્યથી ભરપુર જ્ઞાયક ભગવાન આત્માનું ચિંતન-મનન કરવું જોઈએ. સત્પુરુષોએ દર્શાવેલા આત્માના સ્વરૂપનું જેમ છે તેમ વારંવાર અંતરમાં ચિંતન-મનન કરવું તે આત્માનુભૂતિનો ઉપાય છે.
૬. ચૈતન્યસ્વભાવનો મહિમા ઘૂંટતા ઘૂંટતા મુમુક્ષુના નિર્ણયમાં એમ આવે છે કે અહો ! મારી આ વસ્તુ
જ સ્વયં પરિપૂર્ણ જ્ઞાનાનંદ સ્વરૂપ છે; અને આવા જ્ઞાયકના નિર્ણયના બળે અંતર્મુખ થઈને સ્વસંવેદન વડે તે પોતે પોતાનો પ્રત્યક્ષ જ્ઞાતા થઈ જાય છે. આનું નામ સમ્યગ્દર્શન છે. આ જ શુદ્ધાત્માની અનુભૂતિ છે. પોતામાં પરમાત્માનો સાક્ષાત્કાર કરીને તે જીવ પૂર્ણતાને પંથે ચડ્યો તે વીર થઈને વીર માર્ગે ચાલ્યો તે મહાવીર થાય છે.
૭. જીવનો સ્વભાવ પોતાની મેળે સર્વજ્ઞ થવાનો છે. જ્ઞાન અને સુખ સ્વભાવી આત્મતત્ત્વ દેહથી ભિન્ન છે. તેનામાં દેહ, ઇન્દ્રિયો કે રાગ વગર પોતાના સ્વભાવથી જ સર્વને જાણવા-દેખવાની તાકાત છે. જ્યાં જ્ઞાન-દર્શનની પૂર્ણતા હોય ત્યાં આનંદની પણ પૂર્ણતા હોય જ. જેણે આત્માનું હિત કરવું હોય તેણે પોતાના આવા ઇષ્ટ સ્વભાવને ઓળખવો.
૮. અહો ! આત્મા સ્વયં પોતાના સ્વભાવથી સર્વજ્ઞ થાય છે. પોતાના સ્વાધીન ર્વજ્ઞ સ્વભાવની પ્રતીત કરવી તે પરમાત્મા થવાનો ઉપાય છે. જેને ભવના દુઃખનો ભય લાગ્યો હોય એટલે ભવના દુઃખથી છૂટવું હોય ને આત્માની પૂર્ણાનંદમય પરમાત્મા દશા પ્રગટ કરવી હોય તે સર્વજ્ઞ સમાન પોતાના સ્વભાવની પ્રતીતિ કરો, તેમાં એકાગ્રતા કરો, તેનો અનુભવ કરો ! આ જ આત્માનું કાર્ય અને સાધ્ય છે.
૯. અંતરમાં પોતાના જ્ઞાન-આનંદ સ્વભાવના અનુભવ માટે ધૂન જાગી ત્યાં આત્માના અચિંત્ય મહિમાનું ચિંતન સંસારના સર્વ કલેશને ભૂલાવી દે છે.
૧૦. ચૈતન્ય સ્વભાવના અચિંત્ય મહિમાનું ચિંતન કરીને ચિત્તની નિશ્ચલતા વડે જ જ્ઞાન સ્વભાવ સધાય છે; ચિત્તની નિશ્ચલતા વગર સ્વાનુભવ થાય નહિ.
૧૧. અહો ! શાંત-પ્રશાંત ચૈતન્ય તત્ત્વ ! કેટલું સુંદર ! કેટલું ગંભીર ! કેટલું મહાન ! જેની નિકટતામાં પણ શાંતિના વારા છે તેની અંદરની શાંતિની તો શી વાત ! એ શાંતિની પરમ શીતળતામાં સંસારનો કોઈ