SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ ૧૪. આત્મા જડ ઇન્દ્રિયોના આકારને ગ્રહણ કરતો નથી એમ સ્વજ્ઞેયને જાણ! આ શરીરની ઇન્દ્રિયોના જે આકાર દેખાય છે તેને જીવે ગ્રહ્યા નથી. પુરુષાદિ આકાર એ બધી પુદ્ગલની અવસ્થા છે. તે આકારનો આત્મામાં અભાવ છે. જે વસ્તુનો જેમ અભાવ હોય તે અભાવવાળી વસ્તુને ગ્રહે એમ બની શકે નહિ. માટે આત્મા ઇન્દ્રિયોને ગ્રહતો નથી. ૧૫. આત્મા લોકવ્યાપ્તિવાળો નથી એમ સ્વજ્ઞેયને તું જાણ ! દરેક આત્મા જેમ સંસારમાં શરીર દીઠ ભિન્ન ભિન્ન રહે છે તેમ મુક્ત થયા પછી પણ ભિન્ન ભિન્ન રહે છે. તે લોકમાં વ્યાપતો નથી, પોતાના અસંખ્ય પ્રદેશને છોડીને લોકમાં વ્યાપવું તે તેનો સ્વભાવ નથી. આત્મા શુદ્ધ થયા પછી પોતાના શરીર પ્રમાણથી કિંચિત ન્યૂન પોતાના આકારે નિશ્ચયથી પોતાના અસંખ્ય પ્રદેશોમાં રહે છે ને ઊર્ધ્વગમનના સ્વભાવને કારણે વ્યવહારથી લોકના અગ્રભાગે બિરાજે છે. ૧૬. આત્મા દ્રવ્ય કે ભાવે સ્રી, પુરુષ કે નપુસંક નથી એમ તું જાણ ! જેને લિંગોનું એટલે કે સ્ત્રી, પુરુષ અને નપુસંક વેદોનું ગ્રહણ નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્યે તેમ જ ભાવે સ્રી, પુરુષ અને નપુસંક નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. ૧૭. આત્મા બાહ્ય ધર્મ ચિહ્નોને ગ્રહતો નથી એમ સ્વજ્ઞેયને તું જાણ ! આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે એવું ભાન થયા પછી સ્વભાવમાં વિશેષ સ્થિરતા થવી તે અંતરમુનિ દશા છે અને અંતર નિગ્રંથ દશા પ્રગટે છે ત્યારે બાહ્યમાં વસ્ત્ર આદિ હોતાં નથી અર્થાત્ શરીર નિગ્ન દિગંબર દશા હોય છે. તથા મોરપીંછ અને કમંડળ હોય છે. પણ તે બાહ્ય નિમિત્ત મોરપીંછ આદિ તથા શરીરની નગ્ન દશા વગેરેનો આત્મામાં અભાવ છે. તેને આત્મા ગ્રહણ કરતો નથી, કારણ કે તે જડ પદાર્થો છે. તે તેના કારણે હોય છે, તેને લેવા મુકવાની ક્રિયા આત્મા કરતો નથી, કરી શકતો નથી. ૧૮. તારો અભેદ આત્મા ગુણભેદને સ્પર્શતો નથી એમ સ્વજ્ઞેયને તું જાણ ! આત્મા વસ્તુ છે. તે તારા અનંત ગુણનો પિડ છે. તે એકલા જ્ઞાનગુણવાળો નથી. અભેદ આત્મા ગુણના ભેદને સ્પર્શે એવો નથી. ૧૯. તારો નિત્ય આત્મા અનિત્ય નિર્મળ પર્યાયને પણ સ્પર્શતો નથી એમ સ્વજ્ઞેયને તું જાણ ! આત્મા જ્ઞાતા-દૃષ્ટા શુદ્ધ સ્વભાવી છે. તેના શ્રદ્ધા-જ્ઞાન કરીને જે નિર્મળ પર્યાય પ્રગટે છે તે પર્યાયને પણ આત્મા સ્પર્શતો નથી, આલિંગન કરતો નથી. પરંતુ આત્મા નિત્ય શુદ્ધ દ્રવ્ય છે. આવો તારો શેય સ્વભાવ છે. શુદ્ધસ્વભાવી દ્રવ્ય તે નિત્ય છે, ને નિર્મળ પર્યાય તે એક સમયની અનિત્ય છે. નિત્ય એવું શુદ્ધ દ્રવ્ય અનિત્ય એવા સમ્યજ્ઞાનની અથવા કેવળજ્ઞાનની પર્યાયને નિશ્ચયથી અડે તો દ્રવ્ય નિત્ય રહેતું નથી અર્થાત્ દ્રવ્ય ક્ષણિક થવાનો પ્રસંગ આવે છે, દ્રવ્યના નાશનો પ્રસંગ આવે છે પણ એમ બનતું નથી. દ્રવ્યસ્વભાવ પર્યાયસ્વભાવથી ભિન્ન છે એમ તું જાણ !
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy