SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ આચાર્ય ભગવાન આદેશ કરે છે તું તારા આત્માને એવો જાણ. આ વાત વીસ બોલથી સંક્ષિપ્ત અર્થ સહિત સમજાવવામાં આવી છે. ૧. આત્મા ઇન્દ્રિય વડે જાણતો નથી એમ તું જાણ! આ આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ છે. તે ઇન્દ્રિયોથી જાણતો નથી એમ તું જાણ. આમામાં ઇન્દ્રિયોનો અભાવ છે. જે પદાર્થમાં જેનો અભાવ હોય તેનાથી તે કામ કરે એમ બની શકે નહિ. માટે આત્મા અતીન્દ્રિય સ્વભાવવાળો છે એમ તું જાણ. ૨. આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી એમ તું જાણ! આત્મા એવો છે કે ઇન્દ્રિયો વડે જણાતો નથી. ઇન્દ્રિયો તેમાં છે જ નહિ. જે વસ, જેનામાં ન હોય તેનાથી તે જણાય એવું કદી બને નહિ. આત્મામાં ઇન્દ્રિયો જ નથી માટે તે ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી. તે તો પોતે પોતાથી જ જણાય તેવો છે એમ તું જાણ. ૩. આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષપૂર્વક અનુમાનનો વિષય નથી એમ તું જાણ! શરીર હાલ-ચાલે છે. વાણી બોલાય છે માટે છે એમ ઇન્દ્રિય પ્રત્યક્ષપૂર્વક અનુમાન કરી શકાય એવો આત્મા નથી. જેમ ધુમાડાથી અગ્નિનું અનુમાન થાય છે તેમ ઇન્દ્રિયગમ્ય કોઈ પણ ચિહ્નથી આત્મા જણાતો નથી પણ સ્વસંવેદન જ્ઞાનથી જણાય એવો છે તેમ તું જાણ. ૪. કેવળ અનુમાનથી જ જણાય તેવો આત્મા નથી તેમ તું જાણ! બીજા જીવો કેવળ અનુમાન કરે ને આત્મા જણાય એવો આત્મા નથી. બીજાઓ કેવળ અનુમાન જ્ઞાનથી નક્કી કરે છે કે આ આત્મા આવી છે તો તે આત્માનું જ્ઞાન સાચું નથી. રાગ રહિત જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન્ય છું તેના ભાન દ્વારા સ્વસંવેદન જ્ઞાન દ્વારા આત્મા જણાય છે. આત્મા કેવળ અનુમાન કરનારો જ નથી એમ તું જાણ! આત્મા માત્ર અનુમાન કરનારો હોય તો અનુમાન રહિત પ્રત્યક્ષ કેવળજ્ઞાન પ્રગટ કરવાનો અવસર રહેતો નથી. જેવી રીતે પુણ્ય-પાપના ભાવને જ માત્ર કરનારો ને તેને જ સર્વસ્વ માનવાવાળો જે તે આત્મા કહેવાતો નથી એમ એકલું અનુમાન જ્ઞાન કરનારને આત્મા જ કહેતા નથી. ૬. આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એમ તું જાણ! આત્મા કોઈ બાહ્ય ચિહ્ન તથા અનુમાન વગેરે લિંગ દ્વારા જણાય તેવો નથી. પણ સ્વભાવ વડે જ જણાય એવો છે એમ કહેતાં જ તે પરોક્ષ અનુમાન માત્રથી જણાય એવો નથી. ૭. ઉપયોગને શેય પદાર્થનું અવલંબન નથી એમ તું જાણ! ઉપયોગ ચૈતન્યનું એધાણ અથવા ચિહ્ન છે. ઉપયોગ આત્માને અવલંબે છે. આત્મા દ્રવ્ય શેય છે. ગુણ જોય છે ને પર્યાય પણ જોય છે. ઉપયોગ પણ શેય છે.ઉપયોગનો સ્વભાવ જાણવા દેખવાનો છે. તે પરણેયોને અવલંબતો નથી કારણ કે પરણેયોમાં ઉપયોગ નથી. જે જેનામાં ન હોય તેનું અવલંબન તે કેવી રીતે ભે ?
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy