________________
૨૦૬
૮) પારિણામિક ભાવ ત્રણ પ્રકારનો કહ્યો છે. (૧) જીવત્વ. (૨) ભવ્યત્વ. (૩) અભવ્યત્વ. (૧) જીવત્વ: જીવત્તે અનાદિસિદ્ધ આત્મદ્રવ્યમાં અસ્તિત્વથી જ છે. જેમ આત્મદ્રવ્યનું અસ્તિત્વ અનાદિ સિદ્ધ છે અને તેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગથી થતી નથી, તે પ્રમાણે જીવત્વ પણ અનાદિ સિદ્ધ છે અને જીવ દ્રવ્યમાં ત્રણે કાળને વિષે ધ્રુવપાસે રહેલો છે. જેમ જીવનો કદી નાશ થતો નથી,
જીવ દ્રવ્યની પ્રત્યેક અવસ્થામાં આ જીવત્વભાવ સદૈવ વ્યાપી રહ્યો છે માટે તેને પરમ ભાવ કહ્યો છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે તે જ જીવત્વ છે. જીવ શુદ્ધ નયથી તો શુદ્ધ ચૈતન્યપ્રાણથી જ જીવે છે, કારણ કે તે શુદ્ધ ચૈતન્ય અનાદિ-અનંત, અહેતુક અને સ્વ-પરપ્રકાશક સ્વભાવી છે. આ જીવત્વ અવિનાશી અને શુદ્ધ દ્રવ્યાશ્રિત છે. માટે આ ચૈતન્યરૂપ જીવત્વ જ શુદ્ધ પારિણામિક પરમભાવ કહેવાય છે. શુદ્ધ ચૈતન્યભાવરૂપ જીવન ત્રિકાળ છે અને શુદ્ધ જીવત્વશક્તિ લક્ષણ જે પરિણામિક પરમભાવ છે તે જ પરમાર્થે પારિણામિક પરમભાવ કહેવાય છે. આ ભાવ સંસારી જીવો તથા સિદ્ધ બધામાં એકરૂપ રહેલો છે. માટે આ પારિણામિક ભાવથી સર્વ જીવો સમાન છે. દસ પ્રાણરૂપ જીવત્વ છે તે વ્યવહારથી છે અને પર્યાયમાં છે, પરંતુ ત્રિકાળી ધ્રુવ આત્મદ્રવ્યમાં નથી.
હવે ક્ષાયોપથમિક ભાવેન્દ્રિય - પ્રાણ વગેરે જે ભાવપ્રાણી છે તે પણ અતીન્દ્રિય શુદ્ધ ચૈિતન્યપ્રાણથી પ્રતિપક્ષભૂત છે, વિપરીત છે. તે ખંડખંડ જ્ઞાનરૂપ ભાવેન્દ્રિયાદિ પ્રાણ પારિણામિક પરમભાવમાં આવતા નથી. (૨-૩) ભવ્યત્વ અને અભવ્યતઃ આ ધ્રુવ ભાવો નથી, તેથી તે બન્ને શુદ્ધ પારિણામિક પરમભાવ નથી પરંતુ અશુદ્ધ પારિણામિક ભાવ કહેવાય છે. સિદ્ધ ભગવંતોને તો સાક્ષાત્ મોક્ષદશા સંપ્રાપ્ત છે અને હવે “મોક્ષની યોગ્યતારૂપ” ભવ્યત્વનો વ્યવહાર તેમને માટે નિપ્રયોજન બની ગયો છે. સિદ્ધ ભગવંતોમાં ભવ્યત્વ કે અભવ્યત્વ એવો કોઈ ભાવ હોતો નથી. તેથી ભવ્યત્વ અને અભવ્યત્વને વ્યવહારમાં લીધા અને તેમને અશુદ્ધ કહ્યા છે.
ભવ્યત્વ અને અભવ્યત્વમાં કર્મની કોઈપણ અવસ્થાની અર્થાત્ ઉદય-ઉપશમ-ક્ષયોપશમક્ષાયિકાદિની અપેક્ષા નથી માટે તે પારિણામિક પરમભાવ કહ્યો છે. સિદ્ધમાં તેનો અભાવ થઈ ગયો હોવાથી તે ભવ્યત્વ, અભવ્યત્વ સિદ્ધ ભગવંતોમાં હોતો નથી. સંસારી તેમજ સિદ્ધ સર્વ જીવોમાં જે
એકરૂપ, ત્રિકાળી ધ્રુવ અવિનાશી એવો પરમભાવ હોય તે શુંલ્ક પારિણામિક પરમભાવ કહેવાય છે. ૮. હું ભગવાન આત્મા છું: ૧. શુદ્ધ ૨.પરિપૂર્ણ
૩. એક ૪. જ્ઞાન સ્વભાવી ૫. શેય
૬. ચૈતન્યમૂર્તિ ૭. પ્રમાતા ૮. જ્ઞાનવાન
૯. સાધ્ય