________________
૧૯૬ હું સત્-ચિત્ત-આનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ અભિરામ છું. ૫. અવ્યક્ત વાણીથી કે કોઈ ચિંતન - વિચારોથી હું લક્ષમાં આવું એમ નથી. હું સ્વાનુભવથી જ પ્રત્યક્ષ
સહજ ભાસ્યમાન છું - એક શુદ્ધ ભાવરૂપ જ છું. ૬. હું સ્વાધીન છું, શાશ્વત છું, મુક્ત જ છું, હું અકર્તા છું, અનંત વૈભવવાન છું. પ્રત્યક્ષ અંતરમાં
જણાવું એવો હું સ્વયં ભગવાન છું. ૭. શ્રદ્ધા સ્વયં સમ્યક થાય છે, જ્ઞાયકનું શ્રદ્ધાન થાય છે, જ્ઞાનમાં માત્ર જ્ઞાન જ ભાસે, એ રીતે જ્ઞાન
સમ્યક થાય છે. ૮. જ્ઞાયક પર દષ્ટિ જતાં બધા જ વિભાવ - રાગાદિ ટળી જતાં આચરણ પણ સમ થાય છે, તે
સુખકારી છે. આખું જીવન જ્ઞાનમય હોવાથી હવે મુક્તિધાર પણ ખુલી ગયા છે. ૯. જે કાંઈ જ્ઞાનમાં ઝળકે છે તે જોય નથી પણ જ્ઞાન જ છે. અને જોયકૃત જરા પણ મલિનતા એ મારા
જ્ઞાનમાં નથી - એ સ્વચ્છ સુજ્ઞાન છે. ૧૦. મારો સ્વભાવ બધા જ પરભાવોથી શુન્ય છે. ધ્યેય પણ જ્ઞાનમય જ છે. જ્ઞાનમાં માત્ર જ્ઞાયક છે અને
જ્ઞાનમય જ્ઞાયક જ મારું શેય છે. ૧૧. મારું જ્ઞાન જ સહજ સાધન છે અને જ્ઞાન જ સાધ્ય છે. મારી આરાધના જ્ઞાનમય જ છે અને
આરાધ્ય પણ જ્ઞાન જ છે. ૧૨. મારું સ્વરૂપ ધ્રુવ જ્ઞાનમય જ છે અને પરિણમન પણ જ્ઞાનમય જ છે. હું અનાદિ નિધન જ્ઞાનમય જ
મુક્ત સ્વભાવ છું. ૧૩. આ જગમાં જ્ઞાન જ સારરૂપ છે, બાકી બધું નિઃસાર છે. જ્ઞાનથી વ્યુત પરિણમનનું નામ જ સંસાર છે. ૧૪. જ્ઞાનમય પોતાના ભાવને - જ્ઞાયકભાવને ભૂલવો એ જ અપરાધ છે. જ્ઞાનનું જ સર્વત્ર સન્માન છે.
સિદ્ધ થવાનો ઉપાય પણ આ જ્ઞાન જ છે. ૧૫. અજ્ઞાનથી જ કર્મનો બંધ છે. સમ્યકજ્ઞાનથી જ મુક્તિ છે. જ્ઞાન સાધના એ દુઃખ નાશની યુક્તિ
૧૬. આ જ્ઞાનનો જે વિરાધક છે તે સંસાર પરિભ્રમણમાં ડૂબે છે અને જ્ઞાનનો આશ્રય કરનાર ભવસમુદ્ર
પાર કરી જાય છે. ૧૭. આવી રીતે જ્ઞાનનો જ મહિમા જાણીને, નિજ જ્ઞાનનો સ્વીકાર કર, જ્ઞાનથી અતિરિકત બધા
પરભાવોનો પરિહાર કર. ૧૮. નિજ જ્ઞાનથી - જ્ઞાનમય ભાવથી જ પરમ આનંદિત રહો અને એ જ્ઞાનમાં તન્મય થઈ, જલ્દીથી
સિદ્ધપદ પ્રાપ્ત કરો. સાર: હું જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું.