________________
૧૯૦ ૧૧. સમ્યગ્દર્શનનું લક્ષણ નિર્વિકલ્પ પ્રતીતિ બધા જ તત્ત્વોના નામ અને લક્ષણ જાણવાથી લક્ષ્ય નક્કી
થાય છે. જીવ તત્ત્વનું લક્ષણ જ્ઞાનસ્વભાવ, અજીવ તત્ત્વનું લક્ષણ જડત્વ, સમ્યગ્દર્શનનું લક્ષણ નિર્વિકલ્પ પ્રતીતિ, સમ્યજ્ઞાનનું લક્ષણ સ્વ-પર પ્રકાશકપણું, સમ્યગ્યારિત્રનું લક્ષણ વીતરાગતા એ પ્રમાણે બધા તત્ત્વોના નામ અને લક્ષણ જાણે. આસ્રવ આત્માની વિકારી પર્યાય છે. વિકાર જીવનો તે સમયનો સ્વકાળ છે. કર્મને કારણ વિકાર થયો નથી. પર્યાયમાં વિકાર થવાની યોગ્યતા છે તેને બદલે વિકાર થયો તે કર્મને લીધે થયો એમ માને તે મિથ્યાત્વ છે. એ પ્રમાણે જે મિથ્યાત્વ ભાવ થયો એ જીવની પર્યાય છે, તે જડ મોહ કર્મને લીધે નથી થયો. આ પ્રમાણે તત્ત્વોના ભાવ ભાસીને એવી શ્રદ્ધા કરે કે ઇન્દ્રડગાવવા આવે તો ય ન ફરે. બધા તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવાનો ઉદ્યમ કર્યા જ કરે. આ ચૈતન્ય વસ્તુ અપૂર્વ મહિમાવાળી વસ્તુ છે, તે અંતર્મુખ જ્ઞાનથી જ પકડાય છે. તે
ચૈતન્યને પકડવાનો ઉદ્યમ કરે ! ૧૨. સ્વાનુભૂતિ પ્રગટ કરવા માટે પ્રેરણા પોતે વિચારી તત્ત્વનો બરાબર નિર્ણય કરે. તત્ત્વના નિર્ણયમાં
ભૂલ હોય તો અનુભવ થાય નહિ. રુચિ થઈ અને અંતરમાં અભ્યાસ કરે તો અલ્પકાળમાં તેનો અનુભવ થયા વિના રહે નહિ. તેથી શ્રી સદ્ગુરુ એવી પ્રેરણા આપે છે જો જીવ અંતરમાં તસ્વનિર્ણય અને અનુભવનો ઉદ્યમ કરે તો સમ્યગ્દર્શન પ્રગટે. સમ્યકત્વ ‘સહજ’ છે. સ્વભાવની પ્રાપ્તિ સુલભ
છે. ૧૩. શુભ રાગથી સંસાર પરિમિત થતો નથી. પરજીવની દયા પાળવાથી કે વ્રત-તપ આદિ દયા-દાનના
શુભરાગથી સંસાર પરિમિત થવાનું માને કે મનાવે તે બન્ને મિથ્યાત્વનું સ્વરૂપ છે. કલ્પિત તત્ત્વ છે, તે જૈન માર્ગ નથી. સમ્યક સન્મુખ જીવ આ વાત બરાબર સમજે છે. આ ક્ષેત્રમાં ચોથા આરામાં જ્યારે તીર્થકર ભગવંત વિચરતા હતા ત્યારે જે મૂળ આમ્નાય ચાલતી હતી અને અત્યારે પણ મહાવિદેહ ક્ષેત્રમાં જ્યાં સીમંધર આદિ તીર્થંકર બીરાજમાન છે ત્યાં જે સનાતન સત્ય વીતરાગ માર્ગ ચાલી રહ્યો છે એ જ સાચો મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ ત્રણ લોકમાં ને ત્રાણ કાળમાં એક જ હોય. જેવો ભાવ સર્વજ્ઞ ભગવાને કહ્યો છે તેવો જ પોતાને ભાસવો જોઈએ. પોતે જ નિર્ણય કરી ભાવભાસન
થવું જોઈએ. ૧૪. ભાવભાસનપૂર્વક જ પ્રતીતિ તે જ સાચી પ્રતીતિ છે !: ભાવભાસન એ મુખ્ય વસ્તુ છે. જ્ઞાનમાં વાત
બેસે, તેની શ્રદ્ધા પણ થાય પરંતુ ભાવભાસન સાથે પ્રતીત થાય એ જયથાર્થ પ્રતીતિ છે. ભાવભાસન પર ખાસ વજન છે. ભાવનું - દ્રવ્ય-ગુણ-પર્યાયનું ભાસન થવું જોઈએ. એમ જ અંદરથી લાગવું જોઈએ. ભાવ ભાસ્યા વિના શ્રદ્ધા નિર્મળ થાય નહિ. શ્રદ્ધાગુણની એ નિર્મળ પર્યાયનું જ નામ
સમ્યગ્દર્શન છે. ૧૫. પરીક્ષા કરીને હેય, શેય, ઉપાદેય તત્ત્વોને ઓળખવા મિથ્યાત્વાદિ આસ્રવ અને બંધ ભાવો તે હેય
તત્ત્વો છે, છોડવા જેવા છે. આત્માની સંવર, નિર્જરા, મોક્ષરૂપ નિર્મળ પર્યાય થાય તે ઉપાદેય છે.