________________
" ૧૭૪ ખરેખર આ બન્ને વચ્ચે કોઈ કર્તા-કર્મ સંબંધ નથી એમ સમજવું. ૨૪. કાય કારણને અનુરૂપ હોય છે અને નિમિત્તકરણ કાર્યને અનુકૂળ હોય છે. તત્સમયની યોગ્યતા એ જ
ઉપાદાનકારણ છે. ૨૫. જ્યારે અનાદિકાલીન મોહના નાશ માટે ઉદ્યમવંત જીવ પોતાના ત્રિકાળી ધ્રુવ ઉપાદાનકારણના
આશ્રયથી વર્તમાન પર્યાયમાં અનંતર પૂર્વેક્ષણવર્તી પર્યાયમાં મિથ્યાત્વાદિ અનુત્પન્ન દશાને પ્રાપ્ત થઈ તત્સમયની યોગ્યતારૂપ પુરુષાર્થથી સમ્યકત્વાદિનો ઉત્પાદકરે છે ત્યારે મોહાદિસ્વયં પોતાની યોગ્યતાથી
વ્યયને પ્રાપ્ત થઈ જાય છે. ૨૬. કાર્ય-કારણની વ્યવસ્થામાં આપણે સમ્યગ્દર્શનરૂપ ધર્મની ઉત્પત્તિનો વિચાર કરીએ તો પરાશ્રય
બુદ્ધિક છોડીને સ્વસમ્મુખતાના પુરુષાર્થથી (દ્રવ્યદૃષ્ટિથી) સ્વયંસ્વસમયની યોગ્યતાથી આત્માનુભૂતિસ્વાનુભૂતિ અથવા સમ્યગ્દર્શનાદિરૂપ પરિણમન એક કાર્ય છે તથા તે કાર્યનું ઉપાદાનકારણ તો જીવ પદાર્થ પોતે જ છે. તે વખતે અંતરંગ નિમિત્તકારણ દર્શનમોહાદિ કર્મનો ઉપશમાદિ તથા બાહ્ય
નિમિત્ત જ્ઞાની ગુરુનો ઉપદેશ(દેશના લબ્ધિ) છે. ૨૭. સમજવાનું તો એ છે કે પોતાની યોગ્યતાનુસાર ઉપલબ્ધિ - અનુપલબ્ધિ થાય છે; કારણ કે જે શક્તિ
કોઈ પદાર્થમાં ન હોય તો તે અન્ય દ્વારા ઉત્પન્ન થઈ શકતી નથી. જેમ રેતીમાં તેલ નથી હોતું તો તેમાંથી કોઈ પણ વિધીથી તેલ કાઢી શકાતું નથી. નિયમ એવો છે કે ઉપાદાન સ્વયં પરિણમિત થઈને
તે કાર્યનું ઉત્પાદક બને છે કારણ કે તે પરિણમનશીલ છે. ૨૮. પર્યાય હંમેશા દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય છે અને દ્રવ્યમાં સમાય છે. નથી તે બહાર આવતી કે નથી તે
બહાર જતી. પરંતુ પર્યાય જ્યારે પરને લક્ષ બનાવીને પ્રગટ થાય છે તો વિકારી થઈ જાય છે અને સ્વ(ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક)ને લક્ષ બનાવી નીકળે છે તો શુદ્ધ કહેવાય છે. શુદ્ધ દ્રવ્યના આશ્રયથી શુદ્ધનો સ્વીકાર કરતાં તે શુદ્ધ થાય છે. અને જે પર્યાય દ્રવ્યને શુદ્ધ તરીકે સ્વીકારે છે તેને માટે દ્રવ્ય
પણ શુદ્ધ છે. ૨૯. પ્રત્યેક સમયની પર્યાય તત્સમયની યોગ્યતાનુસાર ક્રમબદ્ધ પ્રવાહરૂપે થયા જ કરે છે. એમાં કરવાનું
ક્યાં છે? જે થાય છે તેમાં કરવાનું શું હોય? માત્ર જાણવાનું કે આ થયા કરે છે. ૩૦. તસ્વનિર્ણય દ્વારા નિમિત્ત-ઉપાદાનના યથાર્થ સ્વરૂપને સમજવાથી પરના કર્તુત્વની મનઃસ્થિતિ
બદલી શકાય છે. કાર્યની ઉત્પત્તિ ઉપાદાનથી થાય છે; નિમિત્તથી નહિ. પરંતુ નિમિત્ત વિના પણ નહિ. જે નિમિત્તને ન માને તે અજ્ઞાની છે અને જે નિમિત્તને કર્તા માને તે પણ મિથ્યાદષ્ટિ છે. પરનો કર્તા નથી એથી મિથ્યાત્વ ગળે છે અને ખરેખર પરને જાણતો નથી એથી મિથ્યાત્વ ટળે છે. આ સમ્યગ્દર્શનની વિધી છે.