SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ૧૦)આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ એ કારણો મુખ્યત્વે છે. ૧૧) એ કારણોમાં ઉદાસીન થયા વિના, નિ:સત્વ એવી લોકસંબંધી જપ-તપાદિ ક્રિયામાં સાક્ષાત્ મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી એમ માન્યા વિના નિઃસત્વ એવા અસશાસ્ત્ર અને અસગુરુ જે આત્મસ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે તેમને સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના જીવન જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. ૧૨) અનંત વાર દેહને અર્થે આત્મા ગાવ્યો છે, જે દેહ આત્માને અર્થે ગાળશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વદેવાર્થની કલ્પના છોડી દઇ એકમાત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો; એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા આ વાક્યો મુમુક્ષુ જીવે પોતાના આત્માને વિશે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે, જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દરૂપે લખ્યા છે. આત્મઉન્નતિનો ક્રમ પણ આ પ્રમાણે છે. ૧. સરસંગ ૩. ગુણજિજ્ઞાસા ૫. આત્મવિચાર ૨. સ્વાધ્યાય ૪. પ્રભુ ભક્તિ ૬. આત્મસાક્ષાત્કાર. ૯. સની પ્રાપ્તિ માટે અર્પણતા (પાત્રતા) ૧. ધર્મ પ્રત્યે જેને રુચિ હોય તેને ધર્માત્મા પ્રત્યે રુચિ હોય છેજેને ધર્મની રુચિ નથી તેને ધર્મી એવા પોતાના આત્માની રુચિ નથી. ૨. એકવાર તું ગુરુના ચરણે અર્જાઈ જા ! પછી ગુરુ જ તને તારામાં સમાઈ જવાની આજ્ઞા આપશે. એકવાર તો તું સને ચરણે મૂકાઈ જા! તેની હા એ હા અને તેની ના એના! તારી સની અર્પણતા આવ્યા પછી સંત કહશે કે તું પરિપૂર્ણ છો; તને અમારી જરૂર નથી; તું તારા સામે જો ! એ જ આજ્ઞા છે અને એ જ ધર્મ છે. ૩. દેવ-ગુરુ-ધર્મને તારી ભક્તિની જરૂર નથી, પરંતુ જિજ્ઞાસુ જીવોએ સાધકદશામાં અશુભ રાગથી બચવા સનું બહુમાન આવ્યા વગર રહેતું નથી. શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે કે “જો કે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી તો પણ તેમ કર્યા વિના મુમુક્ષુ જીવને કલ્યાણ થતું નથીસન્ની જિજ્ઞાસુને સત્ નિમિત્તરૂપ પુરુષની ભક્તિનો ઉલ્લાસ આવ્યા વગર રહેતો નથી. ૪. દેવ-ગુરુ-શાસ્ત્રનો રાગ આત્મસ્વભાવ પ્રગટ કરવાનો નથી. પ્રથમ તે રાગ આવે છે. પણ “આ રાગ પણ મારું સ્વરૂપ નથી' એમ સ્વભાવ દષ્ટિના જોરે અપૂર્વ આત્મજ્ઞાન પ્રગટે છે. ૫. જો એકવાર પણ આત્માની યથાર્થ શ્રદ્ધા કરે(સમ્યગ્દર્શન પ્રગટ કરે) તો જન્મ-મરણ ટળીને મોક્ષ થયા વગર રહે નહિ.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy