SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ સમ્યકત્વના ભેદ જ્ઞાનાદિકની હીનતા-અધિકતા હોવા છતાં પણ, તિર્યંચાદિના (ઢોર વગેરેના) અને કેવળી તથા સિદ્ધ ભગવાનના સમ્યગ્દર્શનને સમાન કહ્યું છે. તેઓને આત્માની પ્રતીતિ એક જ પ્રકારની હોય છે. પણ જુદી જુદી અપેક્ષાથી એના ભેદ સમજાય છે. બધા જ સમ્યગ્દષ્ટિઓનું સમ્યગ્દર્શન સમાન છે. જેમ છદ્મસ્થ (અપૂર્ણ) જીવને શ્રુતજ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે તેમ કેવળી ભગવાન અને સિદ્ધ ભગવાનને કેવળજ્ઞાન અનુસાર જ પ્રતીતિ હોય છે. બધાને તત્ત્વશ્રદ્ધાન સમાન જ હોય છે. ચોથા ગુણસ્થાને શુદ્ધ આત્માની શ્રદ્ધા એક પ્રકારની હોય અને કેવળી થતાં જુદા પ્રકારની થાય એમ બને નહિ, જો બને તો ચોથા ગુણસ્થાને જે શ્રદ્ધા છે તે ખરી ઠરે નહિ પણ મિથ્યા ઠરે. પણ વસ્તુ સ્વરૂપ સમજવા માટે શાસ્ત્રોમાં જુદા જુદા ભેદ સમજાવવામાં આવ્યા છે. સમ્યત્વના બે મુખ્ય ભેદ છે. (૧) નિશ્ચય (૨) વ્યવહાર. નિશ્ચય સમ્યકત્વઃ વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનરૂપ આત્માના પરિણામ તે નિશ્ચય રમ્યત્વ છે; કારણ કે એ જ સત્યાર્થ સમ્યકત્વનું સ્વરૂપ છે અને સત્યાર્થીનું નામ જ નિશ્ચય છે. વ્યવહાર સમ્યકત્વ: વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનને કારણભૂત શ્રદ્ધાન તે વ્યવહાર રમ્યત્વ છે, કારણ કે અહીં કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે. અને ઉપચારનું નામ જ વ્યવહાર છે. હવે જેને આત્માનુભવરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થયું છે તે સમ્યગ્દષ્ટિને નિયમથી (૧) સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની તેમજ (૨) જીવાદિ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા હોય જ છે. તે શ્રદ્ધાનને કાર્યમાં કારણનો ઉપચાર કરીને વ્યવહાર સમ્યકત્વ કહ્યું છે. સમ્યગ્દષ્ટિ જીવોને દેવ-ગુરુ-શાસ્ત્ર(ધર્માદિક)નું સાચું શ્રદ્ધાન છે, તેના જ નિમિત્તથી તેના શ્રદ્ધાનમાં વિપરીત અભિનિવેશનો અભાવ છે. અહીં વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન તે તો નિશ્ચય સમ્યકત્વ છે તથા દેવ-ગુરુ-શાસ્ત્રનું શ્રદ્ધાન તથા જીવાદિ તત્ત્વોને શ્રદ્ધાન તે વ્યવહાર સમ્યકત્વ છે. મિથ્યાદષ્ટિ જીવને દેવ-ગુરુ-શાસ્ત્ર(ધર્માદિક)નું શ્રદ્ધાની આભાસમાત્ર હોય છે અને તેના શ્રદ્ધાનમાં વિપરીત અભિનિવેશનો અભાવ હોતો નથી, માટે તેને નિશ્ચય સમ્યકત્વતો છે નહિ તથા વ્યવહાર સમ્યક્ત પણ આભાસમાત્ર છે; કારણ કે તેને દેવ-ગુરુ-શાસ્ત્રનું શ્રદ્ધાન છે તે વિપરીત અભિનિવેશના અભાવને સાક્ષાત કારણ થયું નહિ અને કારણ થયા વિના તેમાં ઉપચાર પણ સંભવતો નથી. માટે સાક્ષાના કારણની અપેક્ષાએ તેને વ્યવહાર સમ્યત્વ પણ સંભવતું નથી. કેટલાક શાસ્ત્રોમાં દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનને અથવા તત્ત્વ શ્રદ્ધાનને તો વ્યવહાર સમ્યકત્વ કહ્યું છે તથા સ્વ-પરના શ્રદ્ધાનને અથવા કેવળ આત્મશ્રદ્ધાનને નિશ્ચય સમ્યકત્વ કહ્યું છે તે કેવી રીતે? દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનમાં તો પ્રવૃત્તિની મુખ્યતા છે તથા તત્ત્વાર્થ શ્રદ્ધાનમાં તેને વિચારની મુખ્યતા
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy