________________
૧૫૦ ૯૦ આત્મવસ્તુ એકાંત શાંત છે, સર્વથા શાંત છે, શાંત...શાંત...શાંત...શાંત સ્વરૂપ જ આત્મા છે. દષ્ટિનો
વિષયભૂત આત્મા અખંડ, અભેદ, એકાંત શાંત છે, જેમાં વિકલ્પનો કોલાહલ ને કર્મના ઉદયનો લેશ પણ નથી એવો અત્યંત શાંત ભાવમય પ્રભુ આત્મા છે.
આવા આત્માને દૃષ્ટિમાં લેવો તેનું નામ સમ્યગ્દર્શન છે. આવો મારગ ભાઈ! આત્મા જિનસ્વરૂપજ છે. જિન અને જિનવરમાં કાંઈ જ ફેર નથી. આવા આત્માની દૃષ્ટિ કરી સૌ પર્યાયમાં સમ્યગ્દર્શન પ્રગટ કરે એ જ ભાવના!