SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ૪)જેવી સોનાની બેડી તેવી જ લોઢાની બેડી - બન્ને બંધનકારક છે. તેવી રીતે પુણ્ય અને પાપ બન્ને જીવને બંધનકર્તા છે, પરંતુ મિથ્યાદષ્ટિ જીવ એવું ન માનતા પુણ્યને સારું, હિતકારી માને છે. તત્ત્વ દૃષ્ટિએ તો પુણ્ય-પાપ બન્ને અહિતકર જ છે. અજ્ઞાની એ માનતો નથી. આ બંધ તત્ત્વ સંબંધી ભૂલ છે. ૫) નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જીવને હિતકારી છે, પણ મિથ્યાદષ્ટિ જીવ તેમને કષ્ટદાયક માને છે. એ તેની સંવર તત્ત્વ સંબંધી ભૂલ છે. ૬)આત્મામાં એકાગ્ર થઈ શુભ અને અશુભ બન્ને પ્રકારની ઇચ્છા રોકવાથી જે નિજાત્માની શુદ્ધિનું પ્રતપન થવું તે તપ છે. અને તે તપથી નિર્જરા થાય છે, આવું તપ સુખદાયક છે. પરંતુ અજ્ઞાની તેને કલેશદાયક માને છે અને આત્માની અનાદિ અનંત શક્તિઓને ભૂલી જાય છે. આ નિર્જરા તત્ત્વ સંબંધી ભૂલ છે. બાળ તપથી નિર્જરા માનવી તે પણ ભૂલ છે. ૭) આત્માની પરિપૂર્ણ શુદ્ધ દશાનું પ્રગટ થવું તે મોક્ષ છે. તેમાં આકુળતાનો અભાવ છે. પૂર્ણ સ્વાધીન નિરાકુળતા તે સુખ છે. પરંતુ અજ્ઞાની અતિન્દ્રિય મોક્ષ સુખને માનતો નથી. આ તેની મોક્ષ તત્ત્વ સંબંધી ભૂલ છે. આ પ્રમાણે સાત તત્ત્વો સંબંધી ભૂલના કારણે અજ્ઞાની અનંતકાળથી સંસારમાં ભટકે . ૩૭. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કે કર્તા-કર્મ સંબંધ ? : ૧) જીવ અને પુદ્ગલમાં પોતપોતાનો વિકાર થવામાં પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે પણ કર્તા-કર્મ સંબંધ નથી એટલે કે આવું જ્યાં નિમિત્ત હોય ત્યાં આવું કાર્ય થતું દેખવામાં આવે છે, પણ નિમિત્ત તે કાર્યનો ઉત્પાદક નથી. કાર્ય તો સ્વયં પોતાની વસ્તુમાં પોતાની શક્તિના બળથી જ થાય છે, ત્યાં કાર્ય થવામાં નિમિત્ત તદ્ન અકિંચિત્કર છે. ૨) આ મહાન સિદ્ધાંતનો નિર્ણય કરીને આસ્તિકય કર્યા સિવાય કોઈપણ જીવ સત્ય ધર્મને રસ્તે વળી શકે જ નહિ, કારણ કે મિથ્યા ભ્રાંતિ સેવતાં વિકારનું ટળવું અશક્ય છે. કે ૩) અનાદિકાળથી જીવની પરિણતિ અશુદ્ધ થઈ રહી છે ત્યાં પુદ્ગલકર્મ નિમિત્ત છે. પુદ્ગલ વ્યાપ્યવ્યાપક થઈને જીવને વિકારી બનાવતું નથી. કારણ કે કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યમાં વ્યાપ્ય-વ્યાપક થતું નથી. ૪) વળી જીવ પુદ્ગલકર્મના નિમિત્ત વિના જ વિકારરૂપે પરિણમતો હોય તો વિકાર જીવનો નિજ સ્વભા થઈ જાય. માટે વિકારરૂપે તો જીવ પોતે જ પરિણમે છે, ત્યાં કર્મનું નિમિત્ત કહ્યું. ત્યાં કર્મને નિમિત્ત કહેવાનું પ્રયોજન એ છે કે જીવનો વિકારી ભાવ અનિત્ય છે એમ ઠર્યું. વિકાર સ્વભાવ ન ઠર્યો. જવનો જે વિકાર થાય છે તે પરભાવ છે, અનિત્ય છે અને તે જીવનો સ્વભાવ નથી. પણ જીવની અવસ્થામાં વિકાર થતી વખતે કર્મના નિમિત્તનો સદ્ભાવ છે. ૫) વસ્તુ જ્યાં સ્વતંત્રપણે પોતાના અહેતુક સ્વભાવથી જ પરિણમે છે ત્યારે નિમિત્ત પરના કાર્યને કરે છે એમ કહેવું તે વસ્તુના મૂળ સ્વભાવનો જ ઘાત કરવા જેવું છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy