SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ૯. મિથ્યાત્વના ભેદ: પચીસ પ્રકારના મિથ્યાત્વ : ૧. અભિગ્રહીત: મત, પંથના કદાગ્રહરૂપ ખોટો આગ્રહ છે. ૨. અનઅભિગ્રહીત : કોઈ મતને ગ્રહ્યું નથી તે. ૩. અભિનિવેશક : પોતે પકડેલો મત ખોટો જાણે છતાં મૂકે નહિ. ૪. અનઅભિનિવેશક: સમકિત અને મિથ્યાત્વ સંબંધી બિલકુલ જાણપણું નહિ તે. ૫. સાંશયિકઃ વીતરાગ ધર્મ સંબંધી શંકા આણે તે. ૬. ધર્મને અધર્મ શ્રદ્ધે તે મિથ્યાત્વ. ૭. અધર્મને ધર્મ શ્રદ્ધ - હિંસાદિક પ્રવૃત્તિને ધર્મ માને છે. ૮. જિનમાર્ગને અન્ય માર્ગ શ્રદ્ધે તે મિથ્યાત્વ. ૯. અન્યમાર્ગને જિનમાર્ગ શ્રદ્ધે તે મિથ્યાત્વ. ૧૦. જીવને અજીવ 8છે તે મિથ્યાત્વ. ૧૧. અજીવને જીવ શ્રદ્ધે તે મિથ્યાત્વ ૧૨. સાધુને કુસાધુ શ્રદ્ધે તે મિથ્યાત્વ. ૧૩. કુસાધુને સાધુ શ્રદ્ધે તે મિથ્યાત્વ. ૧૪. મુક્તિને બંધન શ્રદ્ધે તે મિથ્યાત્વ. ૧૫. બંધનને મુક્તિ શ્રદ્ધે તે મિથ્યાત્વ. ૧૬. લૌકિક મિથ્યાત્વા: વિપરીત સ્થાપન કરેલ ધર્મ પ્રમાણે વર્તે. ૧૭. લોકોત્તર મિથ્યાત્વ તીર્થકર દેવોની બીજા પાખંડી મત પ્રમાણે માન્યતા કરે. ૧૮. કુપ્રવચન મિથ્યાત્વ: પાખંડીના મત સાચા માને છે. ૧૯. જિનમાર્ગથી ઓછું પ્રરૂપે તે મિથ્યાત્વ. ૨૦. જિનમાર્ગથી અધિક પ્રરૂપે તે મિથ્યાત્વ. ૨૧. જિનમાર્ગથી વિપરીત પ્રરૂપે તે મિથ્યાત્વ. ૨૨. અવિનય મિથ્યાત્વ: દેવ, ગુરુ, ધર્મનો અવિનય. ૨૩. અક્રિયા મિથ્યાત્વઃ સંયમાદિ માટે જે ક્રિયા કરવાની છે તેને માને નહિ તે. ૨૪. અજ્ઞાન મિથ્યાત્વઃ અજાણપણે શ્રેય કરી માને છે. ૨૫. અશાતના મિથ્યાત્વ: ગુર્નાદિકની અશાતના કરે તે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy