SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ૪. મિથ્યાત્વ એ જીવની ઊધાઈ છેઃ મિથ્યાત્વ એટલે ખોટાપણું, ફોગટપણું, જુઠાપણું, ઊંધાપણું, વિપરીતપણું આદિ. મિથ્યાત્વ શબ્દના ઘણા અર્થો છે. મિથ્યાત્વ એટલે “જીવ’ - ‘પોતા” સંબંધની ઊંધી સમજણરૂપ ભૂલ. આ ભૂલ મોટામાં મોટી અને અનંતી છે, કેમ કે જો આ ભયંકર ભૂલ ન હોય તો ભયંકર દુઃખ પણ ન હોય. મૂળ દુઃખ અજ્ઞાનપૂર્વકની ઈચ્છાઓનું જ છે. ઈચ્છા કહો, દુઃખ કહો, અધર્મ કહો, અકળામણ કહો કે મૂંઝવણ કહો બધાનો અર્થ એક જ છે. તે સર્વ મિથ્યાત્વનું જ ફળ છે. અજ્ઞાન દશામાં ઈચ્છા વગરનો જીવનો એક સમય પણ જતો નથી. નિરંતર પોતાને ભૂલીને ઈચ્છા થયા જ કરે છે, તે જ દુઃખ છે. મિથ્યાત્વ એ ઊંધાઈ છે. મિથ્યાત્વતે જીવના શ્રદ્ધા ગુણની વર્તમાન ઊંધી અવસ્થા છે - પર્યાય છે અને તે ટાળી શકાય તેમ છે. સમ્યગ્દર્શન એ શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય છે. હું કોણ છું? મારું સાચું સ્વરૂપ શું છે? આ ક્ષણિક શુભાશુભ ભાવ થાય છે તે શું છે? પુણ્ય-પાપનો વિકાર શું છે? પરવસ્તુ - દેહાદિમારા છે કે નહિ? એમ સ્વ-પરની યથાર્થ માન્યતા કરનાર શ્રદ્ધા ગુણની ઊંધી અવસ્યા તે મિથ્યાત્વ છે. જીવે પોતાની તે અવસ્થા અજ્ઞાનતાથી કરી છે અને પોતાની હોવાથી તે ટાળી શકાય તેમ છે. આ પોતાના સ્વરૂપ સંબંધી ઊંધાઈ અનાદિકાળથી ચાલી આવે છે. સ્વરૂપની યથાર્થ સમજણથી એ ઊંધાઈ બદલાવી શકાય છે. આ આત્મા અનંત ગુણોનો ભંડાર છે એમાં એક શ્રદ્ધા નામનો મુખ્ય ગુણ છે - તે પણ અનાદિ અનંત છે. તે ગુણની ઊંધાઈ - વિપરીત અવસ્થા એ મિથ્યાત્વ છે. આ ભૂલ એક સમયની પર્યાય હોવાથી, સમજણપૂર્વક ટાળી શકાય એમ છે. મિથ્યા દર્શનનું વિશેષ સ્વરૂપ ૧. જીવને અનાદિથી મિથ્યાદર્શનરૂપ અવસ્થા છે. તમામ દુઃખનું મૂળ(સંસારની જડ) મિથ્યાદર્શન છે. જેવું જીવને શ્રદ્ધાન છે તેવું પદાર્થ સ્વરૂપ ન હોય અને જેવું પદાર્થ સ્વરૂપ છે એવું એ માને નહિ તેને મિથ્યાદર્શન કહેવામાં આવે છે. જીવ પોતાને અને શરીરને એકરૂપ માને છે; શરીર કોઈ વેળા દુબળું થાય, કોઈ વેળા જાડું થાય, કોઈ વાર નષ્ટ થઈ જાય, કોઈવાર નવીન ઉપજે ત્યારે આ બધી ક્રિયાઓ શરીરાધીન થવા છતાં આ જીવે તેને પોતાને આધીન માની ખેદ-ખિન્ન થાય છે. દાંત : જેમ કોઈ એક જગ્યાએ એક ગાંડો બેઠો હતો ત્યાં અન્ય ઠેકાણેથી માણસ, ઘોડા અને ધનાદિક આવી ઉતર્યા; તે સર્વેને આ ગાંડો પોતાના માનવા લાગ્યો, પણ એ બધા પોતપોતાનો આધીન હોવાથી તેમાં કોઈ આવે, કોઈ જાય; કોઇ અનેક અવસ્થારૂપે પરિણમે, એમ સર્વેની કિયા પોતપ તાને આધીન હોવા છતાં આ ગાંડો તેને પોતાને આધીન માની ખેદ-ખિન્ન થાય છે. . સિદ્ધાંત તેમ આ જીવ જ્યાં શરીર ધારણ કરે ત્યાં કોઇ અન્ય ઠેકાણેથી પુત્ર, ઘોડા, ધનાદિક
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy