________________
૮૩ ૩) તેવા પુરુષની નિષ્કામ ભક્તિ આબાધાએ પ્રાપ્ત થાય, એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી
હોય એમ જિન કહે છે.
ઉપરની બાબતોનો વિચાર કરતાં આત્મા સાક્ષાત્ ભાસે એટલે વેદનમાં, અનુભવમાં આવે તે પરમાર્થનિશ્ચય સમકિત છે. ૧૩ જૈન આગમોમાં સમકિતનું સ્વરૂપ
કેવળી ભગવંતો દ્વારા જીવને આત્મસ્વરૂપ અને સુખની પ્રાપ્તિનો ઉપાય જુદી જુદી રીતે સમજાવવામાં આવ્યો છે. જૈન આગમોના મુખ્ય ચાર પ્રકાર છે. ૧) પ્રથમાનુયોગ ૨) કરણાનુયોગ ૩) ચરણાનુયોગ ૪) દ્રવ્યાનુયોગ. આ અનુયોગોમાં વિભિન્ન દષ્ટિકોણથી સમ્યગ્દર્શનના સ્વરૂપની ચર્ચા કરેલ છે. ૧) પ્રથમાનુયોગમાં ઉત્તમ પુરુષોના જીવનચરિત્રનું આલેખન છે. એમના જીવનમાં ધર્મની શરૂઆત કેમ
અને ક્યારે થઈ એ મુખ્યતાથી એમના આગળના ભવોનો વિસ્તારપૂર્વક વર્ણન છે. એમાં દેવ-ગુરુશાસ્ત્રના નિમિત્તની મુખ્યતા બતાવી છે અને તેમાં પણ સાચા ઉપદેશનું મહત્ત્વ બતાવેલ છે. જીવને સમ્યકત્વ થવામાં અરિહંતની દિવ્યધ્વનિ જ મુખ્ય નિમિત્ત છે. પાંચ લબ્ધિઓમાં જીવને દેશના લબ્ધિ પ્રાપ્ત થાય, સદ્ગુરુનો બોધ સુહાય એની મુખ્યતાથી વાત કરેલ છે. જીવને બોધ દ્રારા વસ્તુનું યથાર્થ સ્વરૂપ” બતાડી એની આમ પુરુષો પ્રત્યે સાચી શ્રદ્ધા પ્રથમ કરાવવામાં આવે છે ચરણાનુયોગમાં સમકિતના લક્ષણો બતાવી સમ્યકત્વનું સ્વરૂપ બતાવવામાં આવે છે. આઠ મદ રહિત હોય છે. ૧) જાતિમદ ૩) કુળ મદ ૫) શાસ્ત્રજ્ઞાન મદ ૭) બળ મદ ૨) ઐશ્વર્ય મદ ૪) રૂપ મદ ૬) તપ મદ
૮) વિજ્ઞાન મદ સાત ભય રહિત હોય છે. ૧) આ લોકમાં આજીવીકાદિનો નાશ ૪) રોગ થતાં વેદનાનો ભય ૭) અપયશનો ભય ૨) પરલોકમાં કઈ ગતિ થશે ૫) આરક્ષાનો ભય ૩) મૃત્યુનો ભય
૬) અગુપ્તતાનો ભય તે ઉપરાંત પાત્રતા અને સમ્યક સન્મુખ જીવની દશાનું વર્ણન કરી સમ્યગ્દર્શનમાં કેમ નિમિત્ત છે એ બતાવવામાં આવ્યું છે. સમ્યગ્દષ્ટિ આઠ ગુણો સહિત હોય છે. ' ૧) નિઃશંકિત અંગ ૩) નિર્વિચિકત્સા અંગ ૫) ઉપગૂહન અંગ ૭) વાત્સલ્ય અંગ ૨) નિઃકાંક્ષીત અંગ ૪) અમૂઢદષ્ટિ અંગ ૬) સ્થિતિકરણ અંગ ૮) પ્રભાવના અંગ. આવી રીતે પાત્રતાની અગત્યતા બતાવવામાં આવે છે.