________________
[ ૮૪ ] વળી તમો નીચે લખો છે કે, “આચાર્યો સર્વાનુમતે નિર્ણય આપે તો જ ઠરાવ ફેરફાર કરી શકાય.” એ તમારી કલમથી પણ તમે પોતે જ બંધાઈ જાઓ છે. કારણ કે તમોએ ઠરાવ ૧૯૪૩ની સાલમાં કર્યો છે તે જણાવે છે, તે પૂ. આત્મારામજી મહારાજ કાલધર્મ પામ્યા પછી ૧૦ની સાલમાં રાજનગર સંમેલનમાં આચાર્યોને સર્વાનુમતે ઠરાવ થયેલ છે કે, “પ્રભુ નિમિત્તે જે જે બોલી બોલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય. તેથી આગળની માન્યતાઓ, અભિપ્રાય પુરાવાઓ પ્રણાલિકાઓ રદ થાય છે અર્થાત કેન્સલ થાય છે અને પટ્ટક પ્રમાણુ બને છે. માટે તમારી કલમથી પણ તમારે ફેરફાર કરવા જોઈએ, એક નાનું બાળક સમજે એવી વાત છે, પરંતુ ભયભીરુતા વિના સમજાય નહિ,
પત્રિકામાં છેલ્લે છેલ્લે લખ્યું છે કે, આજે પણ કેટલાએ શહેર અને ગામમાં જુદા જુદા રિવાજે છે.” તે પણ વધુ પડતું લખાણ છે, કારણ કે, ભારતમાં જૈનોની વસ્તિવાળાં જેટલાં શહેરો અને ગામ છે તે ગણતરી કરતાં સુપન પારણાના પૈસા-જ્ઞાનખાતામાં-ઉપાશ્રયમાં કે સર્વ સામાન્ય સાધારણમાં જતા હોય તેવાં શહેર અને ગામો સો ગામે પાંચ ગામ પણ મળવા મુકેલ છે. વળી સજજન માણસો પડતાના દાખલા કોઈ દિવસ લેતાં નથી. ડાહ્યો માણસ ઝેર ખાવાની ઈચ્છા કરે નહિ.
અવળી પ્રરૂપણા સમ્યકત્વને નાશ કરનાર છે, ભાવ મણને વધારનાર છે. મરીચી એક જ વાક્ય જુઠું બોલ્યા કે સંસાર