________________
[ ૮૦ ] છે તે જૈન સંઘ સંગર્નનું ખંડન કરવા જેવું છે તેની અને શ્રી સઘને જાણ કરીએ છીએ.
રાધનપુરમાં પણ શ્રી સાગર સંઘે સં. ૧૯૪૩ ભાદરવા સુદ ૧ રેજ સપનાનું ઘી સાધારણમાં લઈ જવાને સર્વાનુ.. મતે ઠરાવ કરેલ છે, અને પૂજ્ય આત્મારામજી મહારાજે આ આ ઠરાવ કરવામાં કંઈ ખોટું નથી. અને શ્રી સંઘ ઠરાવ કરી શકે છે એમ અભિપ્રાય આપે છે. એટલે સુપનાનાં ઘી બાબતમાં જ્યાં સુધી અસલ ઠરાવ હોય ત્યાં સુધી કંઈ ફેરફાર થઈ શકે નહિ. સિવાય કે અખીલ હિન્દુસ્તાનને શ્રી સંઘ આ પ્રમાણે ઠરાવ કરે અગર તે પૂજ્ય આચાર્ય સર્વાનુમતે નિર્ણય આપે. આજે પણ કેટલાય શહેરે અને ગામમાં આ સુપનાના ઘી બાબતમાં જુદા જુદા ઠરાવ અમલમાં છે.
આથી રાધનપુરમાં દરેક જૈન ભાઈ-બહેનોને નમ્ર વિનંતિ છે કે રીવાજ પ્રમાણે સાગરગચ્છ અને વિજયગચ્છમાં સુપન ઉતરવાના છે તે સૌ પોતપોતાના સંઘમાં જઈ આનંદપૂર્વક સુપનનું ઘી બોલે અને સંઘમાં શાંતિ જળવાય તેમ તે તેવી અમારી ભાવભીની અપીલ છે.
લિ. સંઘના સેવકો રતીલાલ પ્રેમચંદ શાહ દેવેન્દ્ર બાપુલાલ શાહ હિંમતલાલ ભુદરદાસ પટવા ડો. ચીમનલાલ ભુદરદાસ મુક્તિલાલ લેરચંદભાઈ કીરતીલાલ શીવલાલ પારી હરગોવનદાસ ચીમનલાલ પટવા રતીલાલ મણીલાલ પટવા શેઠ વિઠ્ઠલદાસ ધરમચંદ અરવીંદલાલ માણેકલાલ ભણસાલી