________________
[ ૭૩ ]
હૃદયના ઉમળકાથી વગર નિમંત્રણે પાતાની મેળે બિરદાવે છે, શુભાશિષ પાઠવી પીઠ થાબડે છે, તે જ કડી આપે છે કે જૈનશાસન જયવંતુ વતે છે,
તેઓશ્રીએ પણ મક્કમતાપૂર્વક આ વર્ષે પાટણુ સાગરના ઉપાશ્રયે જે સ્વપ્નાની ઉપજ સાધારણમાં અમુક ટકા જતી હતી, ને કેટલાયે વર્ષોથી ચાલી આવતી આ પ્રથાને ત્યાં ચાતુર્માસ કરનારા પૂ. મુનિ ભગવડતાએ નભાવી, તેના મક્કમતાથી સામના કરી, આ વર્ષ માટે તે દેવદ્રવ્યના ભક્ષણના પાપથી સ'ઘને બચાવી ભગીરથ પુરૂષાર્થ કરી સફળતા પ્રાપ્ત કરી છે.
ને જ્યારે રાધનપુર ખાતે વિજયગચ્છ સંઘ તથા સાગરગચ્છ સધ અને સંઘના વહિવટદારા સ્વપ્નાની ઉપજ એક ૧૦ આની સાધારણમાં લઇ જાય છે, તે એક ૧૬ આની સાધારણમાં લઈ જાય છે. ને તે સાધારણ એટલે ઉપાશ્રયમાં ખરચાય છે, સાધુ-સાધ્વીના વૈયાવચ્ચમાં, ઉપાશ્રયના માણસને આપવામાં જાય ઇત્યાદિ દ્વારા ચતુર્વિધ સ ́ઘ દેવદ્રત્ર્યના ભક્ષણુના મહાન દોષના ભાગીદાર બને છે, તે તેઓશ્રીની જાણમાં આવતાં, તેઓશ્રીએ આ વખતે નીડરતાપૂર્વક રાધન પુરના વિજયગચ્છ સંઘના વહિવટદારો ને સાગરગચ્છ સધના વહિવટદારાને જે સ્પષ્ટ, સચાટ તથા શાસ્ત્રાનુસારી પત્ર લખેલ છે, તે તેઓશ્રીની શાસનનિષ્ઠા ને સુવિહિત પરંપરા માટેની ધગશ જણાઈ આવે છે.
વિજયગચ્છ સ`ઘના કાય વાહકોને પત્ર લખતાં તેઓશ્રી સ્પષ્ટપણે જણાવે છે કે,