________________
[ ૧૭ ] જૈનશાળામાં વિ. સં. ૨૦૨૨ના ચાતુર્માસમાં અમે અલગ સ્થાને સ્વમ ઉતારવાનું નક્કી કરેલ, ને તેની ઉપજ દેવદ્રવ્યમાં જ ને તે પણ પ્રારંભમાં રાધનપુરના જિનાલયમાં જીર્ણોદ્ધાર આદિમાં ઉપયોગ કરવા માટે ઠરાવેલ. શરૂઆતમાં સખ્ત વિરોધ વચ્ચે પણ શાસ્ત્રાનુસારી સુવિહિત પરંપરાને શિરોધાર્ય કરનાર શાસનપ્રેમી શ્રી સંઘની મક્કમતાના કારણે તે પ્રયત્ન સફલ થયેલ, ને છેવટે થોડા સમય બાદ સમસ્ત રાધનપુર જૈન સંઘે સર્વાનુમતે સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાનું નકકી કરેલ.
શાસનપ્રેમી શ્રી સંઘે જે પ્રવૃત્તિ મક્કમતાથી ને અડગતાથી પ્રારંભેલ, જો કે તેને અંગે શરૂઆતમાં ખૂબ જ વિરોધને વાવંટોળ સહન કરવો પડેલ, પણ પરિણામ શાસ્ત્રાનુસારી સુવિહિત પરંપરામાન્ય પ્રણાલી પ્રમાણે જ આવેલ.
રાધનપુરમાં વિ. સં. ૨૦૨૨ના ચાતુર્માસમાં સ્વપ્નની ઉપજ કેટલાયે વર્ષો બાદ પ્રથમવાર જ દેવદ્રવ્યમાં લઈ જવાની જે શાસ્ત્રીય પ્રણાલીને શુભ પ્રારંભ થયે તે સમયના વાતાવરણને સ્પષ્ટ કરતો જે અહેવાલ રાધનપુર નિવાસી શ્રી શાસનપ્રેમીએ “કલ્યાણ માસિકના નવેમ્બર ૧૯૬૬ના અંકમાં પ્રસિદ્ધ કરેલ છે તેનું અક્ષરશઃ અવતરણ અત્રે ઉલ્ફત કરવામાં આવે છે-સંપાદક. શાસ્ત્રાનુસારી સુવિહિત પ્રણાલીને હિંમતપૂર્વક નીડરતાથી પ્રચાર કરો આજે જરૂરી છે
શ્રી શાસનપ્રેમ રાધનપુર. ચાલુ વર્ષમાં રાધનપુર ખાતે ચાતુમાં સાથે બિરાજમાન ૫. પંન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજી ગણિવરશ્રી (વર્તમાન આ વિ. કનચંદ્રસૂરિજી મ.) એ હિમ્મત તથા મકમતાથી રાધનપુરમાં કેટલાયે વર્ષોથી ઘૂસી ગયેલી સ્વMાની