________________
ખંડઃ ૩ જે. શાસ્ત્રાનુસારી પ્રણાલીને નિડરતાપૂર્વક પ્રચાર
કરવો જરૂરી છે. નોંધ : ઉપરોક્ત લખાણથી એ વાત સિદ્ધ થાય છે કે, સ્વપ્ન ઉતારવાની પ્રથા જ્યારથી શરૂ થઈ ત્યારથી એ હકીકત નિશ્ચિત થયેલી છે કે સ્વપ્નની બોલીમાં જે દ્રવ્ય બેલાય તે દેવદ્રવ્ય જ ગણાય ને એમાં એ હકીકત સ્વતઃસિદ્ધ છે કે, પ્રભુના નિમિત્તે પ્રભુભક્તિના લક્ષ્યથી જે બેલી શ્રી જિનમંદિરમાં કે ઉપાશ્રયમાં યા કેઈપણ સ્થળે બેલાય તેની ઉપજ દેવદ્રવ્ય જ ગણાય. સેનપ્રશ્ન જેવા પ્રામાણિક ને સુવિહિત પરંપરા માન્ય પ્રાચીન ગ્રંથમાં પણ માલાની ઉપજને જ્ઞાનદ્રવ્ય કે સાધારણ દ્રવ્યમાં નહિ લઈ જવાનું જણાવીને પૂસુવિહિત શિરોમણિ આચાર્ય ભગવંત શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજે “માલાની ઉપજને દેવદ્રવ્યમાં જ લઈ જવાનું સ્પષ્ટ વિધાન કરેલ છે. તે
સેનપ્રશ્નના બીજા ઉલ્લાસમાં પં. શ્રી આનંદવિજયજી ગણિએ પ્રમ કરેલ છે કે “માલા સંબંધી સોનું, રૂપું કે સુતર વગેરે દ્રવ્ય તે દેવદ્રવ્ય ગણાય કે સાધારણ દ્રવ્ય ગણાય? તેના જવાબમાં પૂ. આ. ભ. શ્રી વિજયસેનસૂરિજી મહારાજે સ્પષ્ટ રીતે જણાવેલ છે કે, “તે સર્વ દેવદ્રવ્ય ગણાય.” (સેનપ્રશ્ન : ભાષાંતર પેજ ૬૯) જ્યારે આ રીતે ભગવાનની સમક્ષ બોલાતી રે માલાનું દ્રવ્ય દેવદ્રવ્ય ગણાય તો ભગવાનના નિમિત્તે જે દ્રવ્ય બોલાય તે તે સ્પષ્ટપણે