________________
| [ દુર ] મુજબ તમને પૂરતો હક છે. એટલું તે જરૂર આજકાલની પ્રવૃત્તિ મુજબ થવું જોઈએ કે શ્રી સંઘના ચોપડામાં એ ઠરાવ લખી લે અને વર્તમાનમાં શ્રી સંઘમાની દરેક વ્યક્તિ અથવા તે શ્રી સંઘના મુખિયાઓની સહિઓ કરાવીલેવી. ચોપડામાં જ લખાણ થાય તેમાં અંતમાં એ પણ લખવું.
ગ્ય છે કે- કાળાંતરે જરૂરત સમજી શ્રી સંઘ આ ઠરાવમાં અદલ બદલ સુધારે વધારે કરવા ધારે તે કરી શકે છે. શ્રી સંઘની સત્તા છે.”
નોંધ – શાંતાક્રુઝ શ્રી સંધને આ. ભ. શ્રી વિજયવલભસૂરિજી મહારાજે આપેલ જવાબમાં તેઓશ્રીનું એ કહેવું છે કે, “સંધ જ્યારે જે વખતે જે જરૂરીયાત સમજીને જે દ્રવ્યને જ્યાં ઉપયોગ કરવાનું ઠરાવે તે કરવાની તેને સત્તા છે” આ લખાણ દ્વારા સંધને એ સત્તા મલી જાય છે કે ભગવાનના ભંડારમાં પણ આવેલા ચોખા, પૈસા તેમાં કોઈપણ વસ્તુને કે જે ભગવાનની ભક્તિ માટે ભક્તોએ એ સમર્પિત કરેલ હોય તેને પણ પોતાના ઉપયોગમાં તેઓ બચત ઉપયોગમાં લઈ શકે તે કેઈ નિયમ મર્યાદા કે વ્યવસ્થા રહે નહિ ને અતિપ્રવૃત્તિ થઈ જાય તે સંઘમાં કોઈ વ્યવસ્થા જેવું કે શાસ્ત્રીય નિયમન જેવું પણ ન રહે આ જ હકીકતને હૃદયમાં લઈને શાંતકૃઝ જૈન સંધ તરફથી પ્રમુખ સુશ્રાવક જમનાદાસ મોરારજી જે. પી. એ તે વખતે આ. ભ. શ્રી વિ. વલભસરિજી મ.શ્રીને પત્રને જે સ્પષ્ટ અને રીતસરને ઉત્તર આપ્યો. છે તે ખરેખર મનનીય અને જૈન સંઘની શાસ્ત્રાનુસારી મર્યાદાના પાલ