SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ [ ક ] છે, એ વિષે શાસ્ત્રપાઠેથી બે કલાક વ્યાખ્યાન આપી એ મૂળ રિવાજને કાયમ રાખવા સૂચવ્યું હતું તેથી દેવદ્રવ્યની આવકના અંગે ચાલતા આવતા રિવાજે શાસ્ત્રાધાર હોવાથી અખલિતપણે કાયમ રાખવા અને દેવદ્રવ્ય સંબંધી દેવ નિમિત્ત બોલાતી ઉપજ એ દેવદ્રવ્ય છે તેથી તેમાં ફેરફાર કરે નહિ, તેમ ઈતરને ભલામણ કરવાનો ઠરાવ થયો હતે. તેમજ છાણીમાં રહેલ તેઓશ્રીના શિષ્ય મુનિ પ્રતાપવિજયજીના નેતૃત્વ નીચે તે જ ઠરાવ થયો હતો. દૈનિક પત્રના અહેવાલમાંથી સ્વપ્નાદિની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય ત્રણેય શ્રમણ સંમેલનમાં સર્વાનુમતે થયેલ શાસ્ત્રાનુસારી નિર્ણઃ| નેધ-દેવદ્રવ્યદિની વ્યવસ્થા તેમજ બીજા પણ ધર્માદા ખાતાઓની ઉપજ તથા તેને સવ્યય ઈત્યાદિની શાસ્ત્રાનુસારી વ્યવસ્થાને અંગે શ્રી સંઘને શાસ્ત્રીય રીતે સુવિહિતમાન્ય પ્રણાલિકા પ્રમાણે માર્ગદર્શન આપવાની જેઓને શિરે મહત્વની જવાબદારી છે, તે જૈનધર્મના ને જૈનશાસનના સંરક્ષક પૂ. આચાર્ય ભગવંતોએ છેલ્લા વર્ષોમાં ત્રણ શ્રમણ સંમેલનમાં જે મહત્ત્વના માર્ગદર્શક ઠરાવ દ્વારા શ્રી સંઘને જે સ્પષ્ટ અને સચોટ શાસ્ત્રાનુસારી માર્ગદર્શન આપેલ છે, તે મહત્વનાં ને ઉપયોગી નિર્ણયે અત્રે પ્રસિદ્ધ થઈ રહેલ છે, જે હંમેશને માટે ભારતવર્ષના શ્રી સંઘને દરેક રીતે પ્રેરણાદાયી છે, ને તેને અમલ કરવાની તેઓને શિરે ફરજીયાત રીતે જવાબદારી છે, તદુપરાંતઃ શ્રી સંઘોએ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય કે બીજી જિનમંદિર, ઉપાશ્રય, જ્ઞાનભંડાર, તથા સાધારણખાતા આદિના નાણાની ઉપજ
SR No.006102
Book TitleSwapnadravya Devdravya J Che
Original Sutra AuthorN/A
AuthorKanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1978
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy