________________
[ કર ] સમાધાન-ઉપધાન એ જ્ઞાનારાધનનું અનુષ્ઠાન છે, અને તેથી જ્ઞાન ખાતામાં તે ઉપજ જઈ શકે-એમ કદાચ માનતા હે. પણ ઉપધાનમાં પ્રવેશથી માંડીને માળ પહેરવા સુધીની ક્રિયા સમવસરણરૂપ નંદિ આગળ. થાય છે. ક્રિયાઓ પ્રભુ સન્મુખ થતી હોવાથી તે ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ.
પ્રશ્ન-ર૯૮ સ્વપનાની ઉપજ અને તેનું ઘી દેવદ્રવ્યના ખાતામાં લઈ જવાની શરૂઆત અમુક વખતથી થઈ છે, તો ફેરફાર કેમ ન થઈ શકે ?
સમાધાન-અહંત પરમાત્માની માતાએ રવMાં દેખ્યાં હતાં એટલે વસ્તુતઃ તેની સર્વ ઉપજ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ. અર્થાત દેવાધિદેવને ઉદ્દેશીને જ આ ઉપજ છે. ધ્યાનમાં રાખવું કે ચ્યવન, જન્મ, દીક્ષા એ કલ્યાણક પણ શ્રી અરિહંત ભગવાનનાં જ છે. ઈન્દ્રાદિકોએ શ્રી જિનેશ્વર ભગવાનની સ્તુતિ પણ ગર્ભાવતારથી જ કરેલી છે. ચૌદ સ્વપ્નોનાં દર્શન અહંદુ ભગવંત કૂખે આવે ત્યારે જ તેઓની માતાને થાય છે. ત્રણ જગતમાં અજવાળું પણ એ ત્રણેય કલ્યાણકામાં થાય છે. માટે ધમપ્ટેએ ભગવાન ગર્ભાવસ્થાથી જ ગણવાના છે.
છે –“સાગર-સમાધાન”માંથી