SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ [ 2 ] કરાવવાનું કહ્યું હોય તેટલા પૈસા ખરચી તેના તરફથી આંગી કરાવવી જોઈએ. સદગૃહસ્થો! જે ખાતું ડૂબતું હોય તે તરફ ધ્યાન દેવાની ખાસ આવશ્યકતા છે, વાસ્તે હાલમાં સાધારણ ખાતાની બૂમ પડે છે, તેથી તેને તરતું કરવાની ખાસ જરૂર છે, તેથી પુણ્ય કરતી વખતે યા હરેક શુભ પ્રસંગે શુભ ખાતે અવશ્ય રકમ કાઢવા, કઢાવવા તજવીજ કરવી. તેથી આ ખાતું તરતું થઈ જશે. અને તેની બૂમ કદિ પણ આવશે નહીં, એ જ શ્રેય છે. લિ. હંસવિજય નાની ઉપજ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ તેમજ માલારોપણની ઉપજ પણ તે દેવદ્રવ્યમાં જ જવી જોઈએ તે વિષે પૂ. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીનું સ્પષ્ટ શાસ્ત્રાનુસારી ફરમાન નેધ-સ્વપ્નાની ઉપજ વિષે તથા ઉપધાન તપના માલારોપણની ઉપજ વિષે શ્રી સંઘને સ્પષ્ટ રીતે માર્ગદર્શન આપવાના જ એક ઉદ્દેશથી પૂ. પાદ આચાર્ય ભગવંત શ્રી સાગરાનંદસરીશ્વરજી મહારાજશ્રીએ જે “સાગર સમાધાગ્રંથમાં ફરમાવેલ છે, તે પ્રત્યેક ધર્મારાધકે સમજવા જેવું છે. તે –સંપાદક પ્રશ્ન-૨૯૭ ઉપધાનમાં પ્રવેશ અને સમાપ્તિ અવસરે માળાની બોલાતી ઘીની ઉપજ જ્ઞાનખાતામાં નહિં લઈ જતા દેવદ્રવ્યમાં કેમ લઈ જવાય છે?
SR No.006102
Book TitleSwapnadravya Devdravya J Che
Original Sutra AuthorN/A
AuthorKanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1978
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy