________________
[ ૩૨ ] આવક દેવદ્રવ્ય ખાતે લઈ જવાને ચોક્કસ ઠરાવ કરી સંઘે અમારી નિશ્રામાં સુપના ઉતારેલ તે જાણશે. આ સંબંધી વધુ જે કાંઈ માહિતી જોઈએ તે સુખેથી લખશે. ભવભીરૂતા હશે તે આત્માઓનું કલ્યાણ થશે. સંઘમાં બધાને ધર્મલાભ કહેશે.
(આ અભિપ્રાય પૂ. આચાર્ય મ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. શ્રીના પ્રશિષ્યરત્ન વર્તમાનમાં ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજનો છે.)
. (૨૦ )
: - શ્રી નમિનાથજી ઉપાશ્રય,
મુંબઈ નં ૩ તા. ૧૨-૮-૫૪ લિ. ધુરંધરવિજય ગણિ,
તત્ર શ્રી દેવગુરુ-ભક્તિકારક અમીલાલ રતિલાલ જૈન ચોગ્ય ધર્મલાભ. તમારો પત્ર મળ્યો. અત્રે શ્રી દેવગુરુ પસાયે સુખશાંતિ છે. સ્વપ્નાદિની ઘીની ઉપજ અંગે પૂછાવ્યું તે અમારા પશમ અનુસાર સુવિહિત ગીતા સમાચારીને અનુસરતા ભવ્યાત્માઓ તેને દેવદ્રવ્યમાં લઈ જાય છે, અમને પણ એ વ્યાજબી જણાય છે. બાકી વિશેષ ખુલાસે રૂબરૂ થાય. એ જ ધર્મારાધનમાં યથાસાધ્ય ઉદ્યમવંત રહેવું.
( આ અભિપ્રાય પૂ આ. ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. શ્રીના પટ્ટાલંકાર પૂ. આ. ભ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી