________________
[ 5 ]. (નોંધ: સુવિહિત આચાર્ય દેવોની પરંપરા ચાલી આવતી આચરણ પણ ભગવાનની આજ્ઞાની જેમ માનવાનું ભાષ્યકાર ભાગવાને જણાવે છે. નિર્વાહના અભાવે દેવદ્રવ્યમાંથી ગોઠીને કે નેકરને પગાર અપાય એ જુદી વાત છે. પરંતુ જ્યાં નિર્વાહ કરી શકાય તેમ હોય છતાં અપાય તો તેમાં દેષિત થવાય એમ અમારું માનવું છે.)
સ્વસ્તિ શ્રી રાધનપુરથી લિ. આચાર્ય શ્રી વિજયકનકસૂરિજી આદિ ઠા. ૧૦ તત્ર શ્રી વેરાવળ મળે સુશ્રાવક દેવગુરુભક્તિકારક શા. અમીલાલભાઈ રતીલાલભાઈ ગ્ય ધર્મલાભ પહોંચે. અત્ર દેવગુરુ કૃપાથી સુખશાતા વતે છે. તમારે પત્ર મળ્યો, ઉત્તર નીચે પ્રમાણે–
ચૌદ સ્વપ્ન, પારણું, ઘડિયા તથા ઉપધાન માળ આદિનું ઘી કે રોકડા રૂપૈયા બોલાય તે શાસ્ત્રની રીતિએ તેમજ સં. ૧૯૯૦ માં જ્યારે મુનિ સંમેલન શ્રી અમદાવાદ એકત્ર થયેલ ત્યારે પણ ૯ આચાર્યોની સહિથી ઠરાવ દેવદ્રવ્યમાં લઈ જવાન થયેલ અને ત્યારે સેંકડો સાધુ-સાધ્વીઓ અને હજારે શ્રાવક-શ્રાવિકાઓ હતા. તેને કેઈએ વિરોધ નહિ કરેલ એટલે તે ઠરાવને કબુલ રાખેલ. એ જ ધર્મકરણીમાં ભાવ વિશેષ રાખવા એ જ સાર છે.
શ્રાવણ સુદ ૧૪ લિ. વિજયકનકસૂરિના ધર્મલાભ. પં. દીપવિયેના ધર્મલાભ વાંચવા.