________________
સ્વપ્નની ઉપજનું દ્રવ્ય દેવદ્રયમાં જ જાય! તેને અંગે પૂ. પાદ સુવિહિત આચાર્યાદિ મહાપુને
શસ્ત્રાનુસારી મહત્ત્વને આદેશ. નોંધ-વિ સં. ૧૯૯૪ માં પૂ. પાદ સુવિહિત શાસનમાન્ય ગીતાર્થ આચાર્ય ભગવંતના શાસ્ત્રાનુસારી જવાબ સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાંજ લઈ જવાય તેમાં ભાવ વધારો કરી તે પણ સાધારણમાં ન જાય, તે મુજબને સ્પષ્ટ તેમજ મક્કમ રૂપે આવેલ. ત્યારબાદ ફરીથી વિ.સં ૨૦૧૦ માં આજ એક મહત્ત્વના પ્રશ્નને અંગે તે હાલમાં સમસ્ત તપાગચ્છના . મ. સંધના વિદ્યમાન પૂ. સુવિહિત શાસનમાન્ય આચાર્ય ભગવંતોની સાથે પત્ર વ્યવહાર કરીને તેઓશ્રીને
સ્પષ્ટ અને સચોટ નિર્ણય તથા શાસ્ત્રીય માર્ગદર્શન પ્રાપ્ત કરવા વેરાવલનિવાસી સુશ્રાવક અમીલાલ રતિલાલે જે પત્ર વ્યવહાર કરેલ તે સંબંધી પૂ પાદ આચાર્ય ભગવંતોનાજે જે જવાબો પ્રાપ્ત થયેલ તે શ્રી મહાવીરશાસનમાં પ્રસિદ્ધ થયેલ તે ફરી ગ્રંથસ્થ થાય તે તે સાહિત્ય હંમેશને માટે પરમતારક શ્રી જૈનશાસનની પ્રત્યે આરાધકભાવે રૂચિ ધરાવનાર કલ્યાણકામી આત્માઓને ઉપયોગી તથા ઉપકારક , બને તે જ એક શુભ ઉદ્દેશથી અત્રે પ્રસિદ્ધ થઈ રહેલ છે.
- સંપાદક
, અમદાવાદ શ્રાવણ સુદી ૧૨. પરમ પૂજ્ય સંઘસ્થવિર-આચાર્યદેવ શ્રીમદ વિજય. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ તરફથી–
વેરાવલ મધ્યે શ્રાવક અમીલાલ રતિલાલ જૈન. ધર્મલાભ. તમારે પત્ર મળ્યો વાંચી તમામ બીના જાણી, તમારા પત્રને ઉત્તર નીચે મુજબ.