SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ટૂંકમાં, વિજ્ઞાન પરિસ્થિતિ લક્ષી છે માટે મોટા ચમત્કાર સુધી તે ક્યારેય પહોંચી શકશે નહીં. ધર્મનું લક્ષ્ય મનઃસ્થિતિ છે, તેથી નાના ચમત્કારમાં તે બહુ માનતું નથી. વિજ્ઞાન શરીરના રોગો સામે લડત ચલાવે છે. ધર્મ અંદરના દોષો સામે જીત મેળવી આપે છે. ડાયાલિસીસના મશીનના આધારે, ગયેલી કિડનીવાળી વ્યક્તિ પણ વર્ષો ખેંચી કાઢે છે. તે સમયગાળાને રસાળ બનાવવાનું બળ ધર્મ સિવાય કોઈ આપી શકતું નથી. શરીર પરથી કોઢના ડાઘને દૂ૨ ક૨વાની ટેક્નિક વિજ્ઞાન શોધી કાઢશે, પણ જીવનમાંથીક્રોધને નામશેષ ક૨વાની કોઈ ફોર્મ્યુલા તેનીપાસે નથી. ટૂંકમાં, વિજ્ઞાનનું ટાર્ગેટ દુઃખ છે. ધર્મનું ટાર્ગેટ દોષ છે. દોષને અકબંધ રાખીન દુ:ખનો નિકાલ કરવાની પ્રવૃત્તિ તો રસી કાઢ્યા વગર ગુડા પર મલમ લગાડવા જેવી કામગીરી છે. વિજ્ઞાન બહારના માણસને સગવડ આપે છે. ધર્મ અંદરના માણસને સ્વચ્છ કરે છે. વિજ્ઞાનના સગવડવાદ સામે ધર્મનો સમતાવાદ લાખ દરજ્જે ઊંચો પુરવાર થાય છે. -0-0 મનનો મેડિકલેઈમ ૬૯
SR No.006097
Book TitleManno Mediclaim
Original Sutra AuthorN/A
AuthorUdayvallabhvijay
PublisherPragna Prabodh Parivar
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy