________________
- ગરવી ગિરા ગુજરાતની
અંગ્રેજી માધ્યમ અને અંગ્રેજી ભાષાના આટલા બધા ગાંડપણનું કોઈ પ્રયોજન સમજાતું નથી. આવતા વર્ષોમાં જ શું બધી પ્રજાએ ભારતમાંથી હિજરત કરીને અમેરિકાયુરોપમાં સ્થાયી થવાનું છે ? શું બધાએ દર વર્ષે વિશ્વપ્રવાસે ભમવા નીકળવાનું છે ? ધંધાકીય, સામાજિક અને જીવનનો તમામ વ્યવહાર વિદેશીઓ કે અંગ્રેજીભાષીઓ સાથે જ નભાવવો પડે છે ? આ દેશની આજે પણ ૩૪ ટકા પ્રજા નિરક્ષર છે. ૭૮. ૮૧ ટકા લોકો અંગ્રેજી બોલી શક્તા નથી. ૦.૫ ટકા લોકો જ વિદેશ જાય છે. મુખ્યત્વે વિશ્વના ૧૨ દેશોમાં જ અંગ્રેજી ભાષા બોલાય છે. આજે પણ ધંધા વ્યવસાયાર્થે ચીન જનારને દુભાષિયાની મદદ લેવી પડે છે. વિશ્વરભરમાં વેપાર ખેડતી ચીની કંપનીના મેનેજર પણ અંગ્રેજીમાં વાત નથી કરતા, ચીની ભાષામાં જ વાત કરે છે. જે ગુજરાતીએ ગુજરાતમાં કે મુંબઈમાં જ રહેવાનું છે અને ત્યાં જ સ્થિર થવાનું છે, તેને માતૃભાષા ગુજરાતીના ભોગે અંગ્રેજી માધ્યમનું ઘેલું લગાડવાથી તેનો જીવન-વ્યવહાર મુશ્કેલ નહીં બને ? પોતાના નોકરી-ધંધામાં સંપૂર્ણ વ્યવહાર અંગ્રેજીમાં જ કરવો પડે, બીજી ભાષા ન ચાલે તેવી પરવશતા માત્ર બે ટકા પ્રજાને હશે. તેવા લોકો માતૃભાષાના માધ્યમમાં શિક્ષણ લઈને પણ સારું અંગ્રેજી શીખવા દ્વારા પોતાનું કાર્ય પાર પાડી શકે છે. કુટુંબીઓ ગુજરાતી છે, સ્વજનો ગુજરાતી છે, મિત્રવર્તુળ ગુજરાતી કે ભારતીય છે, ચોપાસનું સમગ્ર વાતાવરણ
८४
ભવ્ય ભાષા: માતૃભાષા
-