________________
આચરે છે. વટલાયેલી વાણિયણ તરકડીથી ભૂંડી. કોન્વેન્ટ શાળામાં ભણીને અને આધુનિક શિક્ષણ લઈને શિક્ષિત બનેલા ઘણા તો ભારતીય અંગ્રેજ કે કાળા ગોરા બની જાય છે. અને, આ સવાઈ અંગ્રજોને પોતાના ધર્મ, ધાર્મિક વિધિઓ અને ધાર્મિક માન્યતાઓ પ્રત્યે વિદેશીઓ કરતાં પણ વધારે ચીતરી ચડે છે. આજની શાળા-કોલેજોને સરસ્વતી મંદિર કહી શકાય કે નહિ તે વિચારણીય છે. પરંતુ કોન્વેન્ટ સ્કુલને ચર્ચનો દરજ્જો આપવામાં હરકત ન લાગે.
સંતાનને અંગ્રેજી માધ્યમમાં ભણાવનાર દરેક વાલીએ સમજી રાખવું જોઈએ કે, પોતે પોતાના સંતાન અને ધર્મ વચ્ચેના સેતુ પર ઘણના ઘા ઝીકી રહ્યા છે.
માતૃભાષામાં શાળાનું શિક્ષણ લઈ મુંબઈની કોલેજમાં ગ્રેજ્યુએટ થયેલો એક તેજસ્વી વિદ્યાર્થી અમેરિકા ગયો. ત્યાંની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી તે એમ.બી.એ. થયો. બધી રીતે સુયોગ્ય આ યુવાન મુંબઈના એક પરિવારને પોતાની કન્યા માટે પસંદ તો પડચો. પરંતુ, જ્યારે ખબર પડી કે તે કોન્વેન્ટ સ્કુલમાં નથી ભણ્યો, માતૃભાષામાં તેણે શાળાનું શિક્ષણ લીધું છે, ત્યારે માત્ર તે મુદ્દા પર વાત પડી ભાંગી. માત્ર પોતાના સંતાનો નહિ, બીજાના સંતાનો પણ કોન્વેન્ટમાં ભણવા જોઈએ, એવી અપેક્ષા રાખનાર એ પરિવારની અંગ્રેજી માધ્યમ સાથેની લગ્નગ્રન્થિ કેટલી મજબૂત હશે !
ભાષા એ સંસ્કૃતિની વાહક છે. આપણી સંસ્કૃતિ દયા અને પરોપકારની સંસ્કૃતિ છે, સંયમ અને સદાચારની સંસ્કૃતિ છે, શ્રદ્ધા અને ભક્તિની સંસ્કૃતિ છે, સ્નેહ અને સંબંધની સંસ્કૃતિ છે, નીતિ અને નિષ્ઠાની સંસ્કૃતિ છે. ખૂબ ઉમદા જીવનમૂલ્યોને વરેલી આ સંસ્કૃતિ છે. ખૂબ ઊંચા આદર્શોને અભિમુખ રહેલી આ સંસ્કૃતિ છે. ઈશ્વરીય વિભૂતિઓ તથા સંત-મહંતોથી પ્રાદુર્ભૂત થયેલી અને સિંચન પામેલી આ સંસ્કૃતિ છે. આપણી ભાષાઓમાંથી સંસ્કૃતિની સુગંધ પ્રસરે છે. ભાષા સાસ્કૃતિક પ્રતિકોને પ્રકાશિત કરે છે અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રવાહિત કરે છે.
ભવ્ય ભાષા : માતૃભાષા
SC