________________
૪૨
રત્નત્રયી ઉપાસના
આજ મનોરથ મુજ ફળ્યા એ, નાઠાં દુ:ખ દંદોલ તો; તુઠ્યો જિન ચોવીશમો એ, પ્રગટ્યાં પુન્ય કલ્લોલ. જ્યો. ૫ ભવે ભવે વિનય તુમારડો એ, ભાવ ભક્તિ તુમ પાય તો; દેવ દયા કરી દીજીએ એ, બોધિ બીજ સુપસાય. જ્યો. ૬
કળા
ઈમ તરણ તારણ સુગતિ કારણ, દુઃખ નિવારણ જગ જ્યો; શ્રી વીર જિનવર ચરણ ઘુણતાં, અધિક મન ઉલટ થયો. ૧ શ્રી વિજય દેવસૂરીઁદ પટધર, તીરથ જંગમ એણી જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે, ઝગમગે. ૨ શ્રી હીરવિજયસૂરિ શિષ્ય વાચક, શ્રી કીર્તિવિજય સુરગુરુ સમો; તસ શિષ્ય વાચક વિનયવિજયે, થુણ્યો જિન ચોવીશમો ૩ સયસત્તર સંવત ઓગણત્રીશે, રહી રાંદેર ચૌમાસ એ; વિજયા દશમ વિજય કારણ, કીયો ગુણ અભ્યાસ એ. ૪
નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ એ; નિર્જરા હેતે સ્તવન રચીયું, નામે પુન્ય પ્રકાશ એ. ૫ 卐圖卐
આત્મ વિચાર
કિસ્મતના ક્યા પાના ઉપર શું લખ્યું છે એ કોને ખબર છે? માટે પળપળનો સદુપયોગ કરી લો.
સુખ પતંગીયા જેવું છે જેમજેમ એનો પીછો કરીએ તેમ એ
વધારે દૂર ભાગે પણ જો બીજી વાતોમાં આપણે ધ્યાન પરોવીએ તો એ આવીને આપણા ખભા ઉપર બેસી જાય છે.
Sc
નવકાર મંત્ર અમૃતતણાં, થયાં છાંટણાં જ્યાંચ, પાતક ટળે છે તેહનાં, પામે શીતળ છાંય.