________________
સામાયિક સૂત્ર રહસ્ય પ્રશ્નોત્તરી :
૭૧૧
પંચેન્દ્રિય) ૫૬૩ જીવોની વિરાધના કુલ ૧૦ ભેદથી થાય છે. પ૬૩ x ૧૦ = ૫૬૩૦ (૧૦ વિરાધના :- અભિહયા - લાતેથીમરાયા, વરિયા - ધૂળથી ઢંકાયા, લેસિયા - જમીનથી ઘસાયા, સંઘાઈયા – શરીર અરસ પરસ અફળાવ્યા, સંઘટ્ટીયા - સ્પર્શ કઢાયા, પરિયાવિયા - દુઃખ ઉપજાવ્યા, કિલામિયા - ખેદપમાડ્યા, ઉદવિયા - બીવડાવ્યા, ત્રાસ પમાડ્યા, ઠાણાઓઠાણ સંકામિયા - એક ઠેકાણેથી બીજે ઠેકાણે ફેરવાયા, છવિયાઓ વવરોવિયા - મારી નંખાયા હોય. તે) વિરાધના રાગ અને દ્વેષપૂર્વક થાય છે. = ૫૬૩૦ x ૨ = ૧૧૨૬૦ રાગદ્વેષ-મન-વચન-કાયાના ત્રણયોગથી થાય = ૧૧૨૬૦ x ૩ = ૩૩૭૮૦ ત્રણયોગ દ્વારા કરણ-કરાવણઅનુમોદનથી થાય = ૩૩૭૮૦ x ૩ = ૧૦૧૩૪૦ વિરાધનાનો સમય ભૂતકાળ-ભવિષ્યકાળ-વર્તમાનકાળ = ૧૦૧૩૪૦ x ૩ = ૩૦૪૦૨૦ વિરાધનાની ક્ષમા છ વ્યક્તિની અવગણના કરવી - અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ, આત્મા ઉપરોક્ત ૧૮,૨૪,૧૨૦ ભેદે કરીને જીવોની ઈરિયાવહિયા સૂત્રથી ક્ષમા મંગાય છે.
સવા વસા જીવદયા વિષે સમજ પંચમહાવ્રતધારી ગુરુભગવંતો વીશ વસા) ટકા જીવદયા પાળે છે. ગૃહસ્થ શ્રાવક સવા (વસા) ટકા જ જીવદયાનું પાલન કરી શકે છે. મુખ્ય જીવોના બે ભેદે કરીને :- ત્રસ જીવોના ૧૦ વસા + સ્થાવર જીવોના ૧૦ વસા ગૃહસ્થો છ કાયના કૂટામાં રહે છે, તેથી સ્થાવર જીવોની દયા પાળી શકતા નથી. એટલે સ્થાવર જીવના ૧૦ ટકા ઓછા થયા. ત્રસ જીવોની દયા આરંભ સમારંભના ત્યાગથી અને સંકલ્પથી પળાય છે. ગૃહસ્થોને રસોઈ કપડા ધોવા વિગેરેનો આરંભ
ઘેર્ય વગરનો માણસ નકશા વગરના મુસાફર જેવો છે.