SearchBrowseAboutContactDonate
Page Preview
Page 871
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા ૬૫ ત્યાંથી આગળ વધતાં એક દેરીમાં રહેલ શ્રી ભરત-બાહુબલી તથા શ્રી નમિ-વિનમિને અમે વંદન કરીએ છીએ. આગળ વિજય શેઠ તથા વિજયા શેઠાણીને વંદન કરીએ છીએ. ત્યાંથી આગળ વધતાં સર્વ દેરીઓમાં દર્શન કરતાં કરતાં ચૌદ રતનના દેરાસરમાં રહેલ ૧૪ પ્રતિમાજીને નમસ્કાર કરીએ છીએ. ‘નમો જિણાણું.” ત્યાંથી આગળ નીકળ્યા પછી ૨૪ તીર્થકર ભગવંતોને ખોળામાં લઈ બેઠેલા તેમની માતાને તથા ર૪ તીર્થંકર ભગવંતોને નમસ્કાર કરીએ છીએ. પ્રદક્ષિણાને અંતે ગંધારિયા ચૌમુખજીના દેરાસરમાં આવેલા ચાર વિશાલ જનબિંબોને અમે નમસ્કાર કરીએ છીએ. ‘નમો જિણાણું.” " હવે શ્રી પુંડરિક સ્વામીજીના દેરાસરમાં પાંચ ક્રોડ મુનિ સાથે મુક્ત ગયા તેવા મહામુનિવર શ્રી પુંડરિક સ્વામીજીને અમે કોટી કોટી પ્રણામ કરીએ છીએ. “નમો જિણાë.” અહીં આપણે શ્રી પુંડરીક સ્વામીજીના દર્શન-વંદન-ચૈત્યવંદન કરશું. સ્તુતિ :- દર્શનાતુ દુરિત-ધ્વંસી, વંદનાત્ વાંછિત-પ્રદ: પૂજનાત્ પૂરક: શ્રીણાં, જિનઃ સાક્ષાત્ સુદ્ધમઃ | ભાવોલ્લાસ ભરીને મુજ મનમાં, આવી ઉભો તુજ કને, ઉછળે ભાવતરંગ રંગ હૃદયે, મૂર્તિ વસી મુજ મને, પામ્યા ભાવિક ભક્ત ભાવ ધરીને, વિમુક્તિ જે નામથી, એવા શ્રી પુંડરીક સ્વામી ચરણે, વંદુ સદા ભાવથી...૧ પુંડરીક સ્વામીનું દર્શન કરતાં, હૈયું અતિ હરખાય, પુંડરીક સ્વામીનું મુખડું જોતાં, આનંદ હૈયે અતિ ઉભરાય, પુંડરીક સ્વામીનું નામ જપતા, પાપ કર્મ સવિ દૂર પલાય, પુંડરીક સ્વામીને ચરણે વંદુ, શાશ્વત સુખને જેમ પમાય..૨ અરજી દાબ: 84 કરવામાન માફટમાહારાજશસહકાર ૭:૧૧,૦%es c૪wwાકા :રા : :શ્વર ઈચ્છા એ જ દુખ છે અને ઈચ્છાનો અભાવ એ જ સુખ છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy