________________
૩૪
રાયણ રૂખ તળે બિરાજી, દીએ જગને સંદેશ, ભવિયણ ભાવે જુહારીએ, દૂર કરે સંકલેશ
રત્નત્રયી ઉપાસના
...2
પગલે પડીને વિનવું, પુરો મારી આશ, જ્ઞાન તણી વિનતિ સુણો દેજો શિવપદ વાસ
સ્તવન :
નીલુડી રાયણ તરૂ તળે, સુણસુંદરી, પીલુડા પ્રભુજીના પાય રે ગુણમંજરી ઉજ્જવલ ધ્યાને ધ્યાઈ એ સુણ સુંદરી, એહીજ મુક્તિ ઉપાય રે ગુણ...૧
શીતલ છાયાએ બેસીએ. સુણસુંદરી, રાતડો કરી મન રંગ રે ગુણ. પૂજીએ સોવન ફૂલડે. સુણસુંદરી, જેમ હોય પાવન અંગ રે. ગુણમંજરી...૨
ખીર ઝરે જેહ ઉપરે, સુણસુંદરી, નેહ ધરીને એહ રે ગુણ. ત્રીજે ભવે તે શિવલહે સુણસુંદરી, થાયે નિર્મળ દેહ રે. ગુણ...૩
પ્રીત ધરી પ્રદક્ષિણા સુણસુંદરી, દીએ એહને જે સાર રે ગુણ અભંગ પ્રીતિ હોય જેહને સુણસુંદરી, ભવો ભવ તુમ આધાર રે ગુણ...૪
કુસુમ પત્ર ફળ મંજરે, સુણસુંદરી, શાખા થડને મૂળ રે. ગુણ. દેવ તણા વાસાય છે સુણસુંદરી, તિરથ ને અનુકુળ રે. ગુણ...પ
તિરથ ધ્યાન ધરો મુદ્દા સુણસુંદરી, સેવો એહની છાંય રે. ગુણ. જ્ઞાન વિમલ ગુણ ભાખીઓ સુણસુંદરી, શત્રુંજય માહાત્મ્ય માંહીરે ગુણ...૬ થોય :
શ્રી શત્રુંજય મંડણ આદિ દેવ, હું અહોનિશ સારૂં તસ સેવ. રાયણ તલે પગલાં પ્રભુજી તણાં, સફલ ફૂલે પૂછશ
સોહામણા......... ખમાસમણ.
6
દવા લાગુ પડે એટલે દર્દ ઓછું થાય અને નવકાર લાગુ પડે એટલે અહંકાર જાય.